પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલા ત્રિ-દિવસીય યુવક મહોત્સવ, ટેબ્લેટ વિતરણ, યુપીએસસી સેન્ટરનું ઉદ્દઘાટન સહિતના કાર્યક્રમો માટે કરાયેલા ખર્ચને મંજૂર કરવાનો બાકી હોય 13મીએ ફાઇનાન્સ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં તમામ ખર્ચને મંજૂર કરવામાં આવશે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ વર્ષે યુવક મહોત્સવને ખૂબ જ જાજરમાન અને ભવ્ય બનાવવામાં આવ્યો હતો અને સાથોસાથ અન્ય અડધો ડઝન જેટલા કાર્યક્રમો યોજવામાં આવ્યા હોવા છતાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો ખર્ચ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 20મી પછી યુવક મહોત્સવની દરેક ઇવેન્ટના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ વિતરણ કરવાનો સમારોહ યોજવામાં આવનાર છે અને તેની સાથોસાથ સૌથી વધુ એન્ટ્રી યુવક મહોત્સવમાં મોકલનાર કોલેજને પણ ઇનામથી નવાજવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oUrLjF
via IFTTT
No comments:
Post a Comment