
માછલી પકડવા નાંખેલી પોતાની જાળમાં જ ફસાઈ જતાં ડૂબી ગયેલા માછીમાર યુવકનું મોત નીપજ્યું હતું. તેવી જ રીતે બે દિવસ પહેલાં માછલી પકડતી વખતે કોઝવેમાં તણાઈ ગયેલા યુવકનો શનિવારે કેબલ સ્ટેઇડ બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. અડાજણ હડપતિવાસ ખાતે રહેતા ભીખુભાઈ સોમાભાઈ રાઠોડ (32) માછીમારી કરી ગુજરાન ચલાવતા હતા. તેઓ ગુરુવારે ગૌરવ પથ રોડ પર કેનાલમાં માછીમારી કરવા માટે ગયા હતા. બપોરે પકડેલી માછલી વેચીને તેઓ ફરીથી માછીમારી માટે કેનાલ પર ગયા હતા. ત્યાર બાદ તેઓ રાત્રે ઘરે પરત ફર્યા ન હતા. જેથી તેમની શોધ હાથ ધરવામાં આવી હતી. જોકે, તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન શુક્રવારે બપોરે ગૌરવપથ રોડ કેનાલમાંથી તેમની જ જાળમાં ફસાયેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Iqt012
via
IFTTT
No comments:
Post a Comment