
પવનની ગતિ વધતા અસત્ય ઢળી પડ્યું | સુરતમાં સાંજે વધુ પવન ફુકાતા રાવણનું પુતળુ દહન પહેલા જ જમીન દોસ્ત થઈ ગયું હતુ. મંગળવારે રાવણ દહનના કાર્યક્રમમાં લોકો વીઆઈપી રોડ ખાતેના ગ્રાઉન્ડ પર વહેલા સર પહોચી ગયા હતા, રાવણ દહનનો બસ ગણતરીનો જ સમય બાકી હતો ત્યાં ઝડપભેર પવન ફુકાતા રાવણનું પુતળુ પડી જવા પામ્યું હતુ. પવન ફુકાવાની સાથે જ વરસાદી વાતાવરણ બની જતાં આયોજક દ્વારા તુરંત જ રાવણની આજુબાજુ માં ગોઠવેલી આતશબાજી ફોડવાનું શરૂ કરી દીધુ હતુ. આ દરમ્યાન વરસાદ પણ શરૂ થઈ જતાં આતશબાજી પુરી થાય એ પહેલા જ રાવણના પુતળાનું જમીન પર પડેલી હાલતમાં જ દહન શરૂ કરી દેવામાં આવ્યું હતું. લોકોના આર્ચય વચ્ચે બનેલી આ ઘટનામાં વરસાદ પુરે પુરો વિધ્ન બન્યો હતો, વરસાદ પણ શરૂ થતાં લોકોએ ઘડીભર દોડધામ કરીને વરસાદથી સંતાયા હતા.
દાહોદના ગઢોઇમાં દશેરાએ રાવણની પૂજા | દાહોદથી પાંચ કિમી દૂર આવેલા ગઢોઇ ગામમાં રાવણના મંદિર મનાતા સ્થળે રાવણની ખંડિત પ્રતિમાની કેટલાંક ગ્રામજનો દ્વારા પૂજા કરવામાં આવી હતી. વર્ષોથી રાવણના મંદિર તરીકે આ સ્થળ પ્રખ્યાત છે. માત્ર દશેરાએ જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં શ્રદ્ધાળુ અહીં દીવા-બત્તી કરી જતાં હોય છે. આ સ્થળે ભૂતકાળમાં રાવણની પૂર્ણ પ્રતિમા હોવાનું કહેવાય છે. કાળક્રમે ખંડિત થયા બાદ અહીંથી પ્રતિમાઓની ચોરી પણ થઇ ગઇ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
અહીં થાય છે રાવણની પુજા...
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OvLb9l
via
IFTTT
No comments:
Post a Comment