
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને પણ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને મળવા માટે જશે. રાષ્ટ્રપતિ કોવિંદ 12મી ઓક્ટોબરે સાંજે 7 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓ હીરાબાની સૌજન્ય મુલાકાતે જશે. ગાંધીનગર નજીક કોબા ખાતેના જૈન આરાધના કેન્દ્રના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. 13મીએ રાજભવનમાં કેન્દ્રિય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજશે. 13મીએ બપોરે દિલ્હી જવા રવાના થઇ જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ATnMXh
via
IFTTT
No comments:
Post a Comment