કર્ણાટક : કોંગ્રેસી નેતા પરમેશ્વરના ખાનગી સહાયકનો આપઘાત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 12, 2019

કર્ણાટક : કોંગ્રેસી નેતા પરમેશ્વરના ખાનગી સહાયકનો આપઘાત

આઈટીના અધિકારીઓ સામે પરમેશ્વર 15 ઓક્ટોબરે રજૂ થશે

એજન્સી | બેંગ્લુરુ

કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી ડો.જી.પરમેશ્વર વિરુદ્ધ આઈટી વિભાગના અધિકારીઓના દરોડા વચ્ચે તેમના ખાનગી સહાયક રમેશે આપઘાત કરી લીધો હતો. રમેશ શનિવારે સવારે એક વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યાંથી એક સ્યુસાઇડ નોટ મળી જેમાં લખ્યું કે તે પોતાના ઘરે આઈટી અધિકારીઓના દરોડાથી અત્યંત પરેશાન છે. તે પોતાનું માન બચાવવા જીવ ત્યાગી રહ્યો છે. રમેશ રામનગરના મેલેહલ્લીનો વતની હતો. આઇટી અધિકારીઓએ રમેશની શુક્રવારે પૂછપરછ કરી હતી. આઇટી અધિકારીઓએ પરમેશ્વરના ઘરે, ઓફિસ અને મેડિકલ કોલેજો સહિત કુલ 25 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા. ત્રીજા દિવસે પણ કાર્યવાહી જારી રહી હતી. કોંગ્રેસમાં રમેશે ક્લાર્ક તરીકે નોકરી શરૂ કરી હતી અને પરમેશ્વરનો ખાસ બની ગયો હતો. આઈટી અધિકારીઓએ પરમેશ્વરને મંગળવારે પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. પરમેશ્વરે કહ્યું કે અધિકારી પોતાનું કામ કરી રહ્યાં છે. તે તેમની સમક્ષ હાજર થશે. તે કહે છે કે રમેશ પરેશાન હતો. મેં તેને સાહસ સાથે સ્થિતિનો સામનો કરવા કહ્યું હતું. તેણે આપઘાત કેમ કર્યો તે સમજી શક્યો જ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2OKfLfw
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here