
મોદી અને રાહુલ આજથી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી રવિવારે મહારાષ્ટ્રમાં ચૂંટણી અભિયાન શરૂ કરશે. મોદી પહેલા જલગાંવ અને ત્યાર પછી ભંડારા જિલ્લામાં સભા કરશે. તે 16 ઓક્ટોબરે અકોલા, જાલનાના પરતપુરમાં સભા કરશે. 17ના રોજ તેઓ સતારા અને પૂણેમાં રહેશે, જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રવિવારે મહારાષ્ટ્રમાં સભા કરશે. ત્યાર પછી તેઓ 15 ઓક્ટોબરે પણ જશે. સૂત્રોના જણાવ્યાનુસાર, રાહુલ ગાંધી સોમવારે હરિયાણાના મેવાત જિલ્લાના નૂહમાં સભા કરશે.
શરદ પવાર જવાબ આપે કે મહારાષ્ટ્ર રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યા શરૂ થઈ, ત્યારે કોની સરકાર હતી: ફડણવીસ
એનસીપીના વડા શરદ પવારના આરોપો મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પલટવાર કર્યો હતો. વિદર્ભના અકોલામાં અકોટમાં આયોજિત રેલીમાં ફડણવીસે કહ્યું કે, પોતાની રેલીઓમાં પવાર ખેડૂતોની આત્મહત્યાઓની વાત કરી રહ્યા છે, પરંતુ હું તેમને પૂછવા માંગુ છું કે, મહારાષ્ટ્રમાં ખેડૂતોએ આત્મહત્યા શરૂ કરી ત્યારે કોની સરકાર હતી? આ આત્મહત્યાઓ પવાર અને તેમની સરકારનું પાપ છે.
કોંગ્રેસે 16 બળવાખોરને બહાર કાઢ્યા
હરિયાણા કોંગ્રેસમાં બળવો કરનારા 16 નેતાને પાર્ટીએ કાઢી મૂક્યા છે. આ કાર્યવાહી રાજ્ય એકમના અધ્યક્ષ કુમારી શૈલજાએ કરી છે. તેમણે કહ્યું કે, પક્ષ વિરોધી ગતિવિધિમાં રચ્યાપચ્યા રહેતા આ લોકોને છ વર્ષ માટે નીકાળી દેવામાં આવ્યા છે. તેમાં પૂર્વ સાંસદ રંજીત સિંહ, પૂર્વ મંત્રી નિર્મલ સિંહ વગેરે સામેલ છે.
શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કહ્યું કે, અમે અત્યાર સુધી આપેલા વચનો પાળ્યા છે. અમારો પ્રયાસ છે કે, રૂ. 1માં ગરીબમાં ગરીબ વ્યક્તિને દવાઓ મળી શકે. અમે વીજળીના દર ઘટાડવાનો પણ પ્રયાસ કરીશું. નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ હાજર હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MFaS4V
via IFTTT
No comments:
Post a Comment