કુદરતી આપત્તિ અને આબોહવા સામે ટકી શકે તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 12, 2019

કુદરતી આપત્તિ અને આબોહવા સામે ટકી શકે તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ

ર વર્ષે 13 ઓક્ટોબરને દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય કુદરતી આપત્તિનું જોખમ ઓછું કરવા માટેના વિશેષ દિવસ (IDDRR - International Day for Disaster Risk Reduction) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દુનિયાભરમાં વિવિધ સમુદાયો અને સરકારો દ્વારા કુદરતી આપત્તિમાં થતા નુકસાનમાં ઘટાડો કરવા માટે તેમણે કરેલા પ્રયાસોની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દુનિયામાં દરેક જગ્યાએ દરેક સમુદાય દ્વારા કુદરતી આપત્તિ સામે ટકી શકે તેવા નિર્માણના પડકાર વિશે પણ બધાને યાદ અપાવે છે. વર્ષ 2015માં કુદરતી આપત્તિ જોખમમાં ઘટાડો લાવવા માટે સેન્ડાઇ ફ્રેમવર્ક અપનાવ્યા પછી, “સેન્ડાઇ સેવન” અભિયાનના ભાગરૂપે IDDRRની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સેન્ડાઇ ફ્રેમવર્કના સાત લક્ષ્યને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે. આ વર્ષનો વિષય સેન્ડાઇના લક્ષ્ય “કુદરતી આપત્તિથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થતા જોખમ અને પાયાની સેવાઓમાં થતા વિક્ષેપમાં ઘટાડો લાવવો’ પર આધારિત છે.વર્ષ 2019માં આવેલી કુદરતી આપત્તિઓ મોઝામ્બિક, બહામાસ અને ભારત (ઓડિશા)માં આવેલા વાવાઝોડા અને તેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલું નુકસાન કુદરતી આપત્તિ સામે ટકી શકે તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે. ઓડિશામાં આવેલા ચક્રવાતમાં માત્ર ઊર્જા ક્ષેત્રને જ 1.2 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. સાથે-સાથે ઓડિશાની હોનારત એ વાતની પણ યાદ અપાવે છે કે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરેલું રોકાણ લાંબાગાળે કેવી રીતે તેની કિંમતનું વળતર ચૂકવે છે. વિશ્વ બેંક દ્વારા સમર્થિત રાષ્ટ્રીય ચક્રવાત જોખમ શમન કાર્યક્રમ અંતર્ગત ઓડિશાના દરિયાકાંઠાના હિસ્સામાં ઊર્જા વિતરણ માટે ભૂગર્ભ કેબલ નેટવર્ક પાછળ રોકાણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગણતરીના દિવસોમાં જ ઊર્જા પૂરવઠો પૂર્વવત કરી શકાય છે જ્યારે અન્ય વિસ્તારોમાં આ કામ માટે ઘણા સપ્તાહનો સમય લાગી જાય છે. ઊર્જા વિતરણના નેટવર્કમાં થતું નુકસાન ઘટાડવા ઉપરાંત ઊર્જા વિતરણમાં થતી ખલેલના કારણે લોકોની આજીવિકામાં થતા નુકસાનમાં પણ નોંધપાત્ર ઘટાડો લાવી શકાય છે. ભારત અને સમગ્ર દુનિયામાં ઉપયોગિતાઓમાં આવા અનુભવો પર ખૂબ ચીવટપૂર્વક ધ્યાન આપવું પડશે અને તેમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમમાં સ્થિતિસ્થાપક ઇમારતોના નિર્માણનો વ્યવહારુ અભિગમ અપનાવવો પડશે.

આગામી દાયકાઓમાં આખી દુનિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખૂબ મોટું રોકાણ થવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખતાં આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ ગણી શકાય. ભાવિ અને વર્તમાન બંને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમને કુદરતી અને માનવસર્જિત સંકટોનો અવશ્યપણે સામનો કરવો પડશે, જેમાં તેની લાંબી આવરદા દરમિયાન આવનારી કેટલીક અણધારી ઘટનાઓ પણ આવી જાય છે. આ સમયગાળા દરમિયાન સંકટોમાં પણ પરિવર્તન આવે છે, જેમાં ખાસ કરીને આબોહવાને લગતા સંકટો બદલાઇ શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમની ડિઝાઇન, બાંધકામ, પરિચાલન અને જાળવણીમાં પણ આવા જોખમો અને અનિશ્ચિતતાનો સામનો કરવા બાબતે ધ્યાન રાખવું પડશે, જેમાં ખાસ કરીને ઇન્ફ્રા સંબંધિત આપત્તિના કારણે જાહેર ક્ષેત્રના બે તૃત્યાંશ હિસ્સાનું નુકસાન થાય ત્યારે આવી બાબતે ધ્યાનમાં લેવી જરૂરી છે. આવા નુકસાન સમાજના આર્થિક રીતે પછાત વર્ગો અને ખાસ કરીને એવા વર્ગો કે જેમને નુકસાન પછી રિકવરીમાં ખૂબ લાંબો સમય લાગે છે તેમના પર વ્યાપક અસર પાડે છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમની ટકાઉક્ષમતા એટલે કે સ્થિતિસ્થાપકતા માત્ર આપત્તિ વ્યવસ્થાપનનો મુદ્દો નથી પરંતુ મૂળભૂત વિકાસની બાબત પણ છે. મોબિલિટી, સ્થાનિક અને વૈશ્વિક બજારો સાથે કનેક્ટિવિટી અને ઊર્જા પૂરવઠો, પાણી અને કમ્યુનિકેશન સિસ્ટમનો અવિરત એક્સેસ આર્થિક વિકાસ અને સમૃદ્ધિનો માહોલ તૈયાર કરે છે. આ માન્યતા સતત વિકાસના લક્ષ્યો (SDG)માં પણ જોવા મળે છે જ્યારે લક્ષ્ય 9 ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર કેન્દ્રિત છે અને અન્ય લક્ષ્યો ગર્ભિત રીતે ગુણવત્તાપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણનું મહત્વ દર્શાવે છે.

સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં યોગ્ય આર્થિક પ્રોત્સાહકો, ધોરણો, ગવર્નન્સની ગોઠવણીઓ અને ક્ષમતાઓ જરૂરી છે પરંતુ તેમાં રોકાણ અનુસાર લાભો આપવાની સંભાવનાઓ પણ ઘણી વધારે છે, જે ઓડિશાના ઉદાહરણ પરથી પ્રતિત થાય છે. વર્લ્ડ બેંકના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે મજબૂત સ્થિતિસ્થાપક નિર્માણમાં રોકેલો USD1 ભવિષ્યમાં USD4 જેટલું સોશિયો ઇકોનોમિક નુકસાન ઘટાડે છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લાઇફ સાઇકલ પર ROI બહુગુણક છે. નવો/ગ્રીન ફિલ્ડ વિકાસ હોય કે પછી વર્તમાન માળખાનું નવીનીકરણ હોય તેમાં અપેક્ષિત વ્યાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ, આ પ્રકારે ‘લોક ઇન’ સ્થિતિસ્થાપકતાની વિરાટ તક છે અને લાંબા ગાળે સંભવિત નુકસાન સામે આપણા ભવિષ્યને સુરક્ષિત કરે છે. સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના પ્રયાસો નીચે દર્શાવેલા સિદ્ધાંતો અનુસાર હોવા જોઇએ:

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વસ્તીના તમામ વર્ગોના આર્થિક સ્પેક્ટ્રમને ભરોસાપાત્ર સેવા આપે તે પ્રમાણે ડિઝાઇન કરેલું હોવું જોઇએ જેમાં સૌથી ગરીબ અને સૌથી નિઃસહાય લોકો પણ આવી જાય;

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં વિવિધ ક્ષેત્રોમાં વધુ એકીકૃત સિસ્ટમ દૃષ્ટિકોણ ધ્યાનમાં લેવો જોઇએ; અને

સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ વૈશ્વિક શ્રેષ્ઠ કામગીરીઓ અનુસાર હોવો આવશ્યક છે અને તેને સ્થાનિક તેમક રાષ્ટ્રીય સંદર્ભમાં પરિવર્તિત કરતો હોવો જોઇએ.

પદ્ધતિસર સ્થિતિસ્થાપકતાને કેન્દ્રસ્થાને રાખવા સાથેનો આવો અભિગમ કોઇપણ રાષ્ટ્ર વિકાસની હદો સકારાત્મક રીતે પરિવર્તિત કરવાની સંભાવના ધરાવે છે અને ઝડપી આર્થિક વિકાસના માર્ગ પર પ્રગતિ સુરક્ષિત કરી શકે છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થિતિસ્થાપકતાના મહત્વની પ્રશંસા કરતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુદરતી આપત્તિ જોખમ ઘટાડો (DDR) માટેના 10 મુદ્દાના એજન્ડામાં તમામ વિકાસ ક્ષેત્રો DDR સિદ્ધાંતો આધારિત હોવાની બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ એજન્ડામાં કુદરતી આપત્તિ સામે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI) માટે વૈશ્વિક ગઠબંધનોની પણ હિમાયત કરવામાં આવી છે, જેની જાહેરાત તેમણે 23 સપ્ટેમ્બર 2019ના રોજ યુએન ક્લાઇમેટ એક્શન સમિટમાં કરી હતી. કુદરતી આપત્તિ જોખમ ઘટાડા માટે યુએનની ઓફિસના સહયોગથી ભારતના નેતૃત્વ હેઠળ, CDRIમાં છેલ્લા બે વર્ષમાં રુચિ વધી છે, જેમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા દેશોથી માંડીને ખૂબ મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉણપો ધરાવતા દેશો અને નાના ટાપુઓ તેમજ મર્યાદિત ભૂમિ ધરાવતા વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે અને બધા આ બાબતની જરૂરિયાત અને સંદર્ભની પ્રશંસા કરી રહ્યા છે. આ ગઠબંધન રાષ્ટ્રીય સરકારના ક્ષેત્ર મંત્રાલયો, માપદંડ નિર્માણ સંસ્થાઓ, ફાઇનાન્સરો, વીમાપ્રદાતાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને એક સાથે લાવશે.

આ ગઠબંધનની રચના થતાં એ પણ મહત્વપૂર્ણ છે બન્યું કે તેનું ધ્યાન મિલકતના સ્તરેથી આગળ કેન્દ્રિત હોવું જોઇએ અને સમગ્ર સિસ્ટમના જોખમને ધ્યાનમાં લેવું જોઇએ. વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો જેમ કે ઊર્જા, ટેલિકમ્યુનિકેશન અને પરિવહનની સિસ્ટમ અનુસાર સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા માટે એ બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે, કેમ કે તેની એકબીજા પર નિર્ભરતા છે. આનો અર્થ એવો પણ થાય કે કુદરતી આપત્તિ જોખમ વ્યવસ્થાપન માત્ર કુદરતી આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ પૂરતું સીમિત ના રહેતાં તે વાસ્તવમાં જેટલા પણ સહભાગીઓ છે તેમના સુધી વિસ્તરિત હોવું જોઇએ.

CDRIના સ્થાપક તરીકે ભારત પાસે વિવિધ પ્રકારનો પોર્ટફોલિયો ધરાવતા દેશો પાસેથી વધુ શીખવાની અને તેમને પોતાનો અનુભવ આપવાની તક છે. CDRI સમાન માનસિકતા ધરાવતા સહભાગીઓને એક સામાન્ય મંચ પર લાવશે, જે એકસમાન વૈશ્વિક હિતથી પ્રેરિત હશે. કુદરતી આપત્તિ અને આબોહવા સામે ટકી શકે તેવા સ્થિતિસ્થાપક વિકાસના વૈશ્વિક માર્ગે એકત્ર થઇને આગળ વધવાનો હવે સમય આવી ગયો છે.



પી. કે. મિશ્રા (PM નરેન્દ્ર મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - build infrastructure that can withstand natural disasters and climates 062654


from Divya Bhaskar https://ift.tt/2B5MaVP
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here