

ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’ બંધ થવા પર હવે સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટની સાથે ‘ગંગુબાઇ’ પર કામ કરી રહ્યા છે. છેલ્લા દિવસોમાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં કાર્તિક આર્યન નજર આવશે પણ ફિલ્મથી જોડાયેલા લોકોનું કહેવું છે કે કાર્તિક આ ફિલ્મનો ભાગ નથી અને ભણસાલી જેમા કોઇ નવા એક્ટરને કાસ્ટ કરવા માટે વિચારી રહ્યા છે. સુત્રો કહે છે કે ભણસાલીની આ ફિલ્મ માટે કેટલાંક એક્ટર્સની સાથે મુલાકાત કરી રહ્યા છે. જેમાંથી એક ઇશાન ખટ્ટર છે પરંતુ હજુ સુધી આ વિશે કોઇ કન્ફર્મેશન આવ્યું નથી. સાંભળવામાં તો આ પણ આવ્યું છે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ નજર આવી શકે છે. તેની સિવાય ગત દિવસોમાં દીપિકા અને રણવીરે પણ ભણસાલીની સાથે મીટિંગ કરતા નજર આવ્યા હતા. ત્યારે આ પણ અંદાજ લગાવી શકાય કે ત્રણેય આ ફિલ્મમાં સાથે નજર આવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OHNZAh
via
IFTTT
No comments:
Post a Comment