અહીં માતાની પાંચ અને આઠ ભુજાવાળી બે મૂર્તિ
હરિદ્વારના મનસા દેવી. તેમને નાગમાતા પણ કહેવાય છે.
હરિદ્વાર શહેરથી ત્રણ કિલોમીટર દૂર શિવાલિક પહાડીઓમાં બિલવા પહાડ પર મનસાદેવી મંદિર આવેલું છે. આ જગ્યા હિમાલયના દક્ષિણ ભાગ પર પડે છે. મંદિરમાં દેવીની બે મૂર્તિ છે. એક મૂર્તિની પાંચ ભુજા અને ત્રણ મોં છે, જ્યારે બીજી મૂર્તિની આઠ ભુજા છે. આ મંદિર 51 શક્તિપીઠોને સમકક્ષ મનાયું છે. શ્રદ્ધાળુ અહીં માનતા પૂરી કરવા માટે વૃક્ષ પર દોરી બાંધે છે અને માનતા પૂરી થાય ત્યારે તેઓ ફરી દોરી ખોલવા આવે છે. આજકાલ મંદિરમાં મા મનસા માટે વિશેષ પાઠ ચાલી રહ્યા છે, જે નવ દિવસ સતત ચાલશે. દેવી મનસા ભગવાન શંકરના પુત્રી છે. 14મી સદી પછી મનસા દેવીને શિવના પરિવારની જેમ અનેક મંદિરમાં જગ્યા અપાવા લાગી. ગ્રંથો પ્રમાણે, મનસા દેવીના લગ્ન જગત્કારુ સાથે થયા હતા અને તેમના પુત્રનું નામ આસ્તિક હતું. અગાઉ મંદિરમાં આદિવાસીઓ જ પૂજા કરતા હતા. મનસા દેવી નાગરાજ વાસુકીની મા છે. મંદિર સમિતિના અધ્યક્ષ મહંત રવિન્દર પૂરી કહે છે કે, માન્યતા પ્રમાણે મહિષાસુરે ધરતી પર આતંક મચાવ્યો ત્યારે દેવો પરેશાન થઈ ગયા હતા. એ વખતે મા મનસાએ દેવતાઓની ઈચ્છા પ્રમાણે મહિષાસુરનો વધ કર્યો. વધ કર્યા પછી હરિદ્વારમાં મા મનસાએ આરામ કર્યો અને ત્યારથી આ મંદિર પ્રસિદ્ધ બન્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2opnzrL
via IFTTT
No comments:
Post a Comment