
એક રિપોર્ટ મુજબ ધોની રાંચીમાં ક્રિકેટ એકેડેમી શરૂ કરી શકે છે. ધોનીના નિકટના લોકોએ જણાવ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની હવે રાંચીમાં ક્રિકેટ એકેડેમી ખોલવાની યોજના બનાવી રહ્યો છે. જેથી શહેરના યુવા ક્રિકેટરોને તેમની ક્રિકેટની પ્રેક્ટિસ સુધારવાની તક મળે. આ ઉપરાંત પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની હાલ નિવૃત્તિની કોઈ યોજના નથી. તે આગામી ટી-20 વર્લ્ડ કપ રમશે અને આ અગાઉ તે આઈપીએલમાં પણ રમશે. આ માટે તે થોડા સમય બાદ તૈયારીઓ કરવા લાગી જશે.
આર્કા સ્પોર્ટ્સ જે ધોનીના બાળપણના મિત્ર મિહિર દિવાકરની કંપની છે,. તેને એકેડેમી ખોલવા માટે જમીન શોધવાની શરૂ કરી દીધી છે દેરક વસ્તુ પ્લાન મુજબ થઇ રહી છે. તો આગામી કેટલાક વર્ષોમાં રાંચીમાં ધોનીની ક્રિકેટ એકેડેમી શરૂ થઈ જશે. આ ક્રિકેટ એકેડેમી રાંચીની કોઇ સ્કુલથી જોડશે. જ્યાંના બાળકો એકેડેમીમાં ક્રિકેટ ટ્રેનિંગ લઇ શકે. ધોનીએ હાલ ઇન્દોરમાં ક્રિકેટ એકેડેમી શરૂ કરી છે. આગામી કેટલાક પર મહિનામાં ધોની સિલિગુડીમાં એકેડેમી શરૂ કરશે. ધોનીની પટણા, બોકારો, નાગપુર, વારાણસીમાં પણ ક્રિકેટ એકેડેમી છે. આ ઉપરાંત લખનઉ અને દુબઇમાં પણ ધોનીની ક્રિકેટ એકેડેમી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Wnur5Z
via IFTTT
No comments:
Post a Comment