સ્વચ્છતા એજ સેવા અભિયાનના અંતર્ગત બુધવારના રોજ સવારના 9.30 કલાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.આ રેલી રોકડિયા હનુમાનજી થી મેઈન બજાર થઇ નગરપાલિકા કચેરી ખાતે પુર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા પ્રતાપસંગભાઈ બારડ પ્રમુખ ન.પા, રાજુભાઈ જાદવ ઉપ-પ્રમુખ, કમલેશભાઈ રાઠોડ, ભોલાભાઈ મોરી, દિલુભા ઝાલા, નટુભાઈ વાઘેલા, હિમતભાઇ મેર, ભાવસંગભાઇ તલસાણીયા, બળવંતસિંહ ગોહિલ, પોલીસ કર્મચારીઓ તેમજ ચૂંટાયેલા સદસ્યો આગેવાનો, હોદેદારો, નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ સહીતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં સ્વચ્છતા અંગેના બેનર, “ સ્વચ્છતા ત્યાં પ્રભુતા “જેવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નગરપાલિકા કચેરી ખાતે ગાંધીજીની પ્રતિમાને ઉપસ્થિત આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ઉપસ્થિત ચુંટાયેલા સભ્યો, આગેવાનો, પોલીસ સ્ટાફ, નગરજનો, વેપારીઓ, વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગેના સપથ લેવડાવવામાં આવ્યા હતા.શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકમાં વેપાર કરતા વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટીકની જપ્ત કરવામાં આવી હતી જેમાં તમામ વેપારીઓ પાસેથી 80 કી.ગ્રા.પ્લાસ્ટીક જપ્તી કરી રૂ.7200નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2prdEm8
via IFTTT
No comments:
Post a Comment