એસજીએસટીના જોઇન્ટ કમિશનર અતુલ મહેતાની નિગરાની હેઠળ હાલ એક ટીમ બોગસ બિલિંગના કારભારીઓ અને તેનો લાભ લેનારાઓને ત્યાં તપાસ કરી રહી છે. કુલ 20 જગ્યાએ શરૂ કરવામાં આવેલી ઇન્કવાયરી પાંચ જગ્યાએ પૂર્ણ થઈ છે. જેમાં 3.70 કરોડની ક્રેડિટ રીકવર કરાઈ છે. એસજીએસટીની ટીમે સતત ચાર દિવસથી તપાસ શરૂ રાખતા બોગલ બિલનો લાભ લેનારાના પગતળે રેલો આવ્યો છે.
અભિનયના કેસમાં 300 કરોડનું ટ્રાન્ઝેક્શન
અભિનય અગ્રવાલને ત્યાં દરોડા પાડીને અધિકારીઓએ 300 કરોડનું ટ્રાન્ઝેક્શન શોધી કાઢયું હતું. જેમાં ચારની ધરપકડ થઈ હતી. હાલ ત્રણને જામીન મળ્યા છે જ્યારે અભિનય અગ્રવાલ હાલ જેલમાં છે. અગાઉ જામીન નામંજૂર થતા હવે તે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરનાર છે.
કાપડ માર્કેટના વેપારીઓ નિશાન પર
કાપડ માર્કેટમાં અભિનય અગ્રવાલ પાસે બોગસ બિલ લેનારાઓની સંખ્યા વધુ છે એટલે અધિકારીઓએ આવા વેપારીઓને નિશાન પર લેતા બોગસ બિલિંગના લાભાર્થીઓ સપાટામાં આવી ગયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/359lUrs
via IFTTT
No comments:
Post a Comment