દિવાળીની સાંજે મંદિર હજારો દિવડાથી ઝળહળશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 23, 2019

દિવાળીની સાંજે મંદિર હજારો દિવડાથી ઝળહળશે

દિવાળી તેમજ બેસતા વર્ષે સોમનાથ મંદિર તેલયુક્ત હજારક જેટલા દિવડાઓથી ઝળહળી ઉઠશે છેલ્લા કેટલાક વર્ષોથી યોજાતા આ દિપ દર્શન અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે દિવાળી તેમજ નવા વર્ષની સાંજે સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વારા પ્રવેશ દ્વારા મંદિર જવાના માર્ગને તેલયુક્ત પ્રાચીન ભારતીય પરંપરાના દિવડાઓની રોશનીથી પ્રજ્જવલીત કરવામાં આવશે મંદિરમાં આવેલા સ્થંભોની આસપાસ દિપમાળા સુશોભીત કરવામાં આવશે અને મંદિરના નૃત્યમંડપમાં રંગબેરંગી આકર્ષક નયનરમ્ય રંગોળી પૂરવામાં આવશે અને તેની ફરતે પણ દિવડાઓની દિપમાળા કરાશે તેમજ ભગવાન સોમનાથ મહાદેવને દિવાળી નૂતન વર્ષે દિપ શૃંગાર સાથે વિશેષ શણગાર કરવામાં આવશે.

સોમનાથ ટ્રસ્ટ હસ્તકના અતિથી ગૃહોને રંગબેરંગી વિદ્યુત રોશનીઓથી ઝળહળા કરવામાં આવશે અને અતિથીગૃહોના પટાંગણમાં આતશબાજી કરી દુર-સુદુર પોતાના વતનથી દિવાળીના પર્વમાં સોમનાથ આવેલ દર્શનાર્થીઓ અહીં પણ ઝગમગારા ઝળહળા રોશનીમાં નહાતા મંદિર રોશની નિહાળવું અનેરો અવસર મળશે જોગાનુજોગ સોમનાથ મંદિર ખાતે પ્રતિમાસ યોજાતી માસિક શિવરાત્રી પણ આ પર્વ શ્રૃંખલા સાથો-સાથ તા. 26 ઓક્ટો. હોઇ જેથી શિવરાત્રીની મહાપૂજા, જ્યોતપૂજા અને મંદિર તે દિવસે સવારના ૬ વાગ્યાથી રાત્રીના ક વગ્યા સુધી ખુલ્લું રહેશે જેથી ભાવિકો દર્શન ધન્ય પ્રાપ્ત કરી શકશે સોમનાથ મંદિર કાયમી વિજ ઝળહળતી રોશની ઉપરાંત તેલયુક્ત પ્રાચીન પરંપરની દિવડા રોશની નિહાળવાનો દિવાળીની રજાઓમાં યાત્રિકોને આ દિવ્ય દીપ વૈભવ નિહાળવા દર્શનનો લ્હાવો લઈ શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2W7tgYc
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here