વૃદ્ધાવસ્થામાં રૂપિયા નહીં ‘સાથી’ની જરૂર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 18, 2019

વૃદ્ધાવસ્થામાં રૂપિયા નહીં ‘સાથી’ની જરૂર

મા જન્મદિવસના એક અઠવાડિયા પછી અમિતાભ બચ્ચનના બીમાર થવાની પુષ્ટિ થયા વગરની ખબરો આવી તો આ મહાનાયકની સાથે જોડાયેલી ઘણી યાદો તાજી થઇ. હજારો હાથ સલામતીની પ્રાર્થના-દુઆમાં ઉપર ઊઠ્યા. આ દુઆઓ આ ભરોસાની પુષ્ટિ કરે છે કે જિંદગીમાં ખૂબ ધન-સંપદા હોવા છતા આવા શુભચિંતક લોકો હોવા કેટલા જરૂરી છેે. મને એક જોક યાદ આવ્યો જે આમ હતો - ‘એક વૃદ્ધ પહેલી પત્નીના મૃત્યુના ઘણા વર્ષો પછી બીજા લગ્ન કર્યાં. લગ્નના દિવસે, તેમના એક મિત્રે પૂછ્યું કે ‘તમે એવું શું કીધું કે ભાભીએ પ્રસ્તાવ સ્વીકાર કર્યો ? તે બોલ્યો ‘હું મારી ઉંમર વિશે ખોટું બોલ્યો’. મિત્રે કહ્યું આ વખતે ઉંમર કેટલી ઓછી જણાવી ? વૃદ્ધે કહ્યું ‘ નહિ દોસ્ત, હું ક્યારેય પકડાઇશ નહિ, કેમકે મેં આ વખતે ઉંમર 45 નહિ, 90 વર્ષની જણાવી છે.’ તે વૃદ્ધ જિંદગીના અંતિમ વર્ષોમાં એક સાથી ઇચ્છે છે. જિંદગીના આ બે સાચા ઉદાહરણો વાંચો જે કેટલાંક દિવસો પહેલાના જ છે.

ઉદાહરણ 1 : 4 ઓક્ટોબરના દિવસે પોલીસકર્મી મુંબઇમાં ગોવંડી વિસ્તારમાં ટ્રેનની ઝપટમાં આવીને જાન ગુમાવી ચૂકેલા એક ભિખારી બિરજુ ચંદ્ર આઝાદની એક રૂમવાળી ઝૂંપડીમાં ગયા.ભિખારી પોતાની પાછળ ફક્ત એક વોટર આઇડી કાર્ડ, પેન કાર્ડ અને આધાર કાર્ડ મૂકીને ગયો હતો. પરંતુ તેમની જગ્યામાંથી 8.77 લાખની ફિક્સ ડિપોઝિટના કાગ‌ળો અને 1.5 લાખ સિક્કાથી ભરેેલી પોટલી મળી. આટલા વર્ષોમાં કોઇએ ખબર લીધી ન હતી પરંતુ પોલીસે મીડિયામાં હકીકત જણાવી તો પાંચ લોકો સંબંધી બનીને ત્યાં પહોંચી ગયા જેથી જમા પુંજી હડપી શકે.

ઉદાહરણ 2 : ભિખારીવાળી વાત સત્ય ન માનો તો તમારે નિખિલ ઝવેરીની વાત જાણવી જોઇએ. આ બુધવારે તેમનું નિધન થયું. દક્ષિણ મુંબઇમાં 200 કરોડની સંપતિના માલિક ઝવેરીનું જ્યારે મૃત્યુ થયું તો ત્યાં કોઈ તેમનો મિત્ર નહોતો.બે વાર ડીવોર્સી ઝવેરી પામ બીચ સ્કૂલના માલિક અને પ્રિન્સિપલ હતા. મુંબઇના મલાબાર હિલ્સના જે પ્લોટ પર આ બનેલું છે તેની કિંમત 200 કરોડ છે. ઝવેરીની બીજી પત્નીથી એક પુત્ર છે અને જાન્યુ. 2005માં તેમનો ડીવોર્સ થઇ ગયા.

2009માં ઝવેરી હટિંગટન નામની બીમારીના શિકાર થયા, જે એક ન્યુરોલોજિકલ વિકાર છે જ્યારે તેમની સારવાર ચાલી રહી હતી તો તેમની પહેલી પત્ની દીપ્તિ પંચાલે કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને આ 200 કરોડની પ્રોપર્ટી પર દાવો કર્યો. ઝવેરીની બીજી પત્નીના દીકરા રેયાનને, પોતાની સાવકી મા દીપ્તિ વિરુદ્ધ પોલિસમાં FIR કરી અને તેના પર પિતાની નકલી સાઇન કરવાનો આરોપ લગાવ્યો.

આ વચ્ચે ઝવેરી ડિસેમ્બર 2013માં પોતાની બહેન પાસે રહેવા ગયા અને પછી ત્યાંથી ગાયબ થઇ ગયાં. કેટલાક સમય પછી પોલીસને તે પાગલના સ્વરૂપમાં મળ્યા અને આશ્રય ઘરમાં મોકલી દીધા. જાન્યુ. 2014માં પહેલીવાર તેમની ઓળખાણ નિખિલ વિટ્ઠલદાસ ઝવેરીના રૂપમાં થઇ અને તેમને જૈન હોસ્પિટલમાં ઇલાજ માટે મોકલી દેવાયા જ્યાં તેઓ 2017 સુધી રહ્યા. ત્યારબાદ કોર્ટના આદેશ પછી તેમને જેજે હોસ્ટિટલમાં ભરતી કર્યા જ્યાં બુધવારના દિવસે વધતા બિલ અને એકલાપણાની સાથે તેઓ દુનિયાથી વિદાય થઇ ગયા.

ફંડા એ છે કે જ્યારે ઉંમર થશે તો બેંક અને થેલામાં ભરેલા રૂપિયા કોઇ કામ નહિ આવે - પછી તે પોતીકા જ હશે જે તમારી જિંદગીના રંગ ભરશે. ખુશીઓ લાવશે અને જ્યારે જરૂરત હશે તો આ શુભચિંતક જ તમારી માટે દુવા કરશે.

77

મેનેજમેન્ટ ફંડા એન. રઘુરામના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે

9190000071 પર મિસ કોલ કરો

મેનેજમેન્ટ ફંડા

એન. રઘુરામન

મેનેજમેન્ટ ગુરુ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - in the old age there is no need for a 39companion39 not a rupee 063633


from Divya Bhaskar https://ift.tt/31wgiEy
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here