
નવી દિલ્હી: અનુચ્છેદ 370 હટાવ્યા બાદ યુરોપીય યુનિયન (ઇયૂ)ના સાંસદોનું પ્રતિનિધિમંડળ મંગળવારે (આજે) કશ્મીરની મુલાકાત કરશે. કોંગ્રેસ તેના વિરોધમાં છે, તેમણે વિદેશી નેતાઓના પ્રવાસને ભારતીય સંસદ અને સાંસદોના વિશેષ અધિકારોનો દુરઉપયોગ જણાવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતીય સાંસદોને રોકવા અને વિદેશી નેતાઓને કશ્મીર જવાની પરવાનગી આપવા પાછળ કંઇક ગરબડ છે. વિદેશી સાંસદોએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું, ભારતીય સાંસદોના કશ્મીર પ્રવાસ પર તેમને કસ્ટડીમાં લઇ લીધી અને શ્રીનગરથી પરત મોકલી દીધા. તો બીજી તરફ યુરોપીય સાંસદો માટે સરકાર લાલ કાલીન પાથરી રહી છે. આ પહેલા કોંગ્રેસના આનંદ શર્માએ એક નિવેદન આપ્યું હતું કે, યુરોપીય સાંસદ કશ્મીર જઇ રહ્યા છે. તેમને સંપૂર્ણ જાણકારી આપવામાં આવી રહી છે. આ ભારતીય સંસદ સાર્વભૌમત્વની વિરુદ્ધ છે અને ભારતીય સાંસદોના વિશેષ અધિકારો દુરઉપયોગ થયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31V46gE
via IFTTT
No comments:
Post a Comment