કૃષિ નુકસાનીનો અહેવાલ કેબિનેટમાં રજૂ ન કરી શકાતાં મુખ્યમંત્રી નારાજ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 9, 2019

કૃષિ નુકસાનીનો અહેવાલ કેબિનેટમાં રજૂ ન કરી શકાતાં મુખ્યમંત્રી નારાજ

વરસાદ વધુ પડતા ગુજરાતના ખેડૂતો સરકાર તરફથી કોઇ સહાય જાહેર થાય કે પાક વિમાનો ફાયદો થાય તેની રાહ જોઇ રહીં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નુકશાનીનો અંદાજ જલ્દી આવે તેટલા માટે કૃષિ વિભાગને નુકશાનીનો અહેવાલ તાત્કાલિક આપવાની તાકિદ કરી હતી. પણ, કૃષિ વિભાગ દ્વારા સમયસર પ્રક્રિયા થઇ નહીં,પરિણામે બુધવારે મળેલી કેબિનેટમાં પણ કોઇ ઠોસ નિર્ણય લઇ શકાયો નથી. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણી કૃષિ વિભાગથી નારાજ થયા હોવાનું સુત્રોનું માનવું છે. આ બાબતે કૃષિ મંત્રી આર.સી.ફળદું અને કૃષિ નિયામક બી.એમ.મોદીનો સંપર્ક કરતા સંપર્ક થઇ શકયો ન હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારે વરસાદને કારણે નુકશાની થઇ હોવાનું સ્વીકારીને ખેડૂતોને સહાય થવા માટે સર્વેની કામગીરી બે દિવસમાં પૂર્ણ કરવાની તાકિદ કરી હતી. આમછતા હજુ સ્થાનિક કક્ષાએ સર્વેની ટીમ બનાવવાની કામગીરી પુરી થઇ ગઇ છે, સર્વે શરૂ પણ થઇ ગયો છે. પણ, હજુ કોઇ ઠોસ અહેવાલ કૃષિ વિભાગ આપી શકયો નથી. આથી કૃષિ વિભાગની ઢીલી કામગીરીથી નારાજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટમાં જ અહેવાલ રજૂ કરી સ્થિતિથી સરકારને વાકેફ કરવાની તાકિદ કરી હોવાનું સુત્રોનું માનવું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2ntoOpQ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here