
બિહારની રાજધાની પટણામાં જલજમાવ પર એનડીએ નેતાઓમાં ટક્કર શરૂ થઈ ગઈ છે. કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે ટ્વિટ કરીને રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જમીન નજરે ના પડતી હોય, આંખો પર પડદો હોય અને લોકોનું દર્દ સંભળાતું ના હોય તો સત્તા હંમેશા સજાગ ચોકીદારને જ સવાલ પૂછે છે. જોકે, ગિરિરાજે આ ટ્વિટમાં ખુલાસો પણ કર્યો કે, મારા પોતાના ક્ષેત્રમાં હોવાનું પ્રમાણ બેગુસરાયની પ્રજા આપી શકે છે. મને નિષ્ઠુર-સંવેદનહીનો પાસેથી પ્રમાણપત્ર નથી જોઈતું. આ પહેલા ગિરિરાજ સિંહે મીડિયાને કહ્યું કે, ‘તાલી’ સરકારને મળશે તો ‘ગાલી’ પણ સરકારને જ મળશે. પટણામાં રાજ્ય સરકારના મંત્રી દોષિત અધિકારીઓનો બચાવ કરી રહ્યા છે. તેઓ લાપરવાઈ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહ્યા. જદયુ નેતા અને રાજ્ય સરકારના મંત્રી અશોક ચૌધરીએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગિરિરાજ સિંહની મહત્ત્વકાંક્ષા વધી ગઈ છે. તે મીડિયામાં રહેવા ફાલતુ નિવેદનો આપી રહ્યા છે. ક્યારેક પાકિસ્તાન, ક્યારેક હિંદુ તો ક્યારેક મુસ્લિમ મુદ્દે બોલ્યા કરે છે. જદયુના અન્ય મંત્રી શ્રવણકુમારે કહ્યું કે, ગિરિરાજ જવાબ આપે કે, તેમણે કેન્દ્રિય મંત્રી તરીકે બિહાર માટે શું કર્યું?
ઉન્નાવ કેસ: બંધ રૂમમાં સુનાવણીની સમીક્ષા સોશિયલ મીડિયા પર મુકાઈ, ફિટકાર
નવી દિલ્હી | ઉન્નાવ દુષ્કર્મ કાંડ સાથે જોડાયેલા કેસની બંધ રૂમમાં ચાલતી સુનવણીની સમીક્ષા સોશિયલ મીડિયા પર મૂકનારા વકીલને દિલ્હી અદાલતે શનિવારે જોરદાર ફિટકાર લગાવી હતી. વકીલે દુષ્કર્મ પીડિતાના પિતાની કથિત હત્યા સાથે જોડાયેલા કેસની ઘણી વિગતો શેર કરી હતી. હજુ સુધી આ મામલામાં ફરિયાદી પક્ષની પુરાવા રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા જજ ધર્મેશ શર્માએ વકીલને ભવિષ્યમાં કેસ ઓનલાઈન શેર નહીં કરવાની ચેતવણી આપી હતી. એક પક્ષના વકીલે આરોપ મૂક્યો હતો કે, વિપક્ષના વકીલ કાર્યવાહીની વિગતો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. ત્યાર પછી જજે વકીલ પાસે જે તે જોડાયેલી ફેસબુક પોસ્ટની પણ વિગત માંગી હતી. કોર્ટે પીડિતાની માતાનું પણ ક્રોસ એક્ઝામિનેશન કર્યું હતું. જોકે, એક પક્ષના વકીલ હાજર નહીં થવાથી સુનવણી પૂરી ના થઈ શકી. કોર્ટે CBIને આ કેસમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપતા સુનવણી 9 ઓક્ટોબર સુધી ટાળી દીધી હતી.
મલીહાના પુત્ર ફૈઝલે ભારતીય મૂળની હિન્દુ યુવતી ગૌરિકા ગંભીર સાથે લગ્ન કર્યા છે. ગૌરિકા દિલ્હીની છે. એબીએન એમરો અને એચએસબીસી બેન્કમાં કામ કરી ચૂકી છે. કોલંબિયા યુનિ.માંથી ભણેલી ગૌરિકા અને ફૈઝલનાં લગ્નની તસવીરો 1 મહિનાથી શૅર થઇ રહી છે.
બિહારના ભાગલપુરમાં પૂર પીડિતોને શનિવારે એસડીએમ આશિષ નારાયણ પર હુમલો કર્યો. એ પછી સુરક્ષાકર્મીઓની મદદથી એસડીએમએ જીવ બચાવીને ત્યાંથી ભાગવું પડ્યું. લોકોએ એસડીએમની કારની તોડફોડ કરી. કહેવાય છે કે, એસડીએમના બોડીગાર્ડે હવામાં ફાયરિંગ કર્યું હગતું. જોકે, SDMએ ફાયરિંગ કર્યાનો ઈનકાર કર્યો છે.


ભાસ્કર ન્યૂઝ | પટણા
બિહારની રાજધાની પટણામાં જલજમાવ પર એનડીએ નેતાઓમાં ટક્કર શરૂ થઈ ગઈ છે. કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે ટ્વિટ કરીને રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જમીન નજરે ના પડતી હોય, આંખો પર પડદો હોય અને લોકોનું દર્દ સંભળાતું ના હોય તો સત્તા હંમેશા સજાગ ચોકીદારને જ સવાલ પૂછે છે. જોકે, ગિરિરાજે આ ટ્વિટમાં ખુલાસો પણ કર્યો કે, મારા પોતાના ક્ષેત્રમાં હોવાનું પ્રમાણ બેગુસરાયની પ્રજા આપી શકે છે. મને નિષ્ઠુર-સંવેદનહીનો પાસેથી પ્રમાણપત્ર નથી જોઈતું. આ પહેલા ગિરિરાજ સિંહે મીડિયાને કહ્યું કે, ‘તાલી’ સરકારને મળશે તો ‘ગાલી’ પણ સરકારને જ મળશે. પટણામાં રાજ્ય સરકારના મંત્રી દોષિત અધિકારીઓનો બચાવ કરી રહ્યા છે. તેઓ લાપરવાઈ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહ્યા. જદયુ નેતા અને રાજ્ય સરકારના મંત્રી અશોક ચૌધરીએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગિરિરાજ સિંહની મહત્ત્વકાંક્ષા વધી ગઈ છે. તે મીડિયામાં રહેવા ફાલતુ નિવેદનો આપી રહ્યા છે. ક્યારેક પાકિસ્તાન, ક્યારેક હિંદુ તો ક્યારેક મુસ્લિમ મુદ્દે બોલ્યા કરે છે. જદયુના અન્ય મંત્રી શ્રવણકુમારે કહ્યું કે, ગિરિરાજ જવાબ આપે કે, તેમણે કેન્દ્રિય મંત્રી તરીકે બિહાર માટે શું કર્યું?
પીઓકેના લોકોએ સરહદ પાર કરી તો ભારત તેમને આતંકી કહી દેશે: ઈમરાન


એજન્સી | ઈસ્લામાબાદ
કલમ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારના નામે આંતરરાષ્ટ્રીય સ્તરે દુષ્પ્રચાર ફેલાવવામાં નિષ્ફળ રહેલું પાકિસ્તાન હવે પીઓકેના લોકોને ભડકાવી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શનિવારે કહ્યું કે, હું જમ્મુ કાશ્મીરના લોકો માટે તમારું દર્દ અનુભવી શકું છું. પરંતુ એ કાશ્મીરીઓની મદદ માટે જો પીઓકેમાંથી કોઈ વ્યક્તિએ સરહદ પાર કરી તો ભારત તેમને આતંકી જાહેર કરવાનું નહીં ચૂકે. એટલે સરહદ પાર ના કરતા.
ઈમરાને ટ્વિટ કરીને ચેતવણી ત્યારે આપી, જ્યારે એક દિવસ પહેલા જ આઝાદી સમર્થક જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટે કાશ્મીરીઓ પ્રત્યે સહકાર દર્શાવવા કાર અને મોટરસાઈકલ પર મુઝફ્ફરાબાદ સુધી રેલી કાઢી હતી. ત્યારે જેકેએલએફે એલાન કર્યું હતું કે, તેઓ ચકોઠીથી સરહદ પાર કરીને શ્રીનર જશે.
આ વર્ષે ઈકો ફ્રેન્ડ્લી દિવાળી મનાવવા ‘ગ્રીન ફટાકડા’ લોન્ચ
એજન્સી | નવી દિલ્હી
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, આ વખતે દીવાળીએ દેશભરમાં પ્રદૂષણ ઘટાડે એવા ગ્રીન ફટાકડા બજારમાં ઉપલબ્ધ હશે, જેમાં સુતળી બોમ્બથી માંડીને પેન્સિલ, ચકરડી અને ફૂલઝરી જેવા તમામ ફટાકડા સામેલ છે. આ ફટાકડા પર્યાવરણને અનુકૂળ છે. ડૉ. હર્ષવર્ધને શનિવારે અનુસંધાન ભવનમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટ તરફથી 2017માં ફટાકડા પર પ્રતિબંધ લગાવાય પછી ગ્રીન ફટાકડાના ઉત્પાદન વિશે વિચારયું હતું. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદે ગ્રીન ફટાકડા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભઝવી છે. તેમાં તેમની આઠ સહયોગી પ્રયોગશાળાની પણ મદદ મળી છે. આ સંસ્થાના ડિરેક્ટર જનરલ ડૉ. શેખર માંદે કહ્યું કે, સીએસઆઈઆર માટે ગ્રીન ફટાકડાનું ફોર્મુલેશન તૈયાર કરવું અને ઓછામાં ઓછા ધુમાડાનું ઉત્સર્જન કરે એ રીતે ફટાકડા તૈયાર કરવા ઘણું પડકારજનક રહ્યું. સીએસઆઈઆરના મુખ્ય વિજ્ઞાની ડો.સાધના રાયાલુ અને તેમની ટીમ અનુસાર ગ્રીન ફટાકડાંની અોળખ માટે એનઈઈઆરઆઈનો ગ્રીન લોગો અને ક્યૂઆર કોડ અપાયો છે. આ કોડની તપાસ કરીને તેની વાસ્તવિકતા પણ જાણી શકાશે.
એનઈઈઆરઈના ડિરેક્ટર ડૉ. રાકેશ કુમારના કહેવા પ્રમાણે, ગ્રીન ફટાકડા બનાવવામાં દ્વિસ્તરીય પ્રક્રિયા અપનાવાઈ છે. સીએસઆઈઆર સાથે મળીને ફટાકડામાં ઉપયોગમાં લેવાતા બેરિયમ નાઈટ્રેટના સ્તરની તપાસ કરીને ગ્રીન ફટાકડા માટે નવા માપદંડ બનાવાયા છે. આ ફટાકડામાં 30થી 90% સુધી ઓછા બેરિયમ નાઈટ્રેટનો ઉપયોગ થાય છે. કેટલાક ફટાકડામાં અમે તેનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. આ ઉપરાંત તેમાં ઓક્સિડેન્ટ તરીકે પોટેશિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરાયો છે.
ઉત્તરાખંડ: ભારત-કઝાકિસ્તાનની સંયુક્ત કવાયતમાં બંને દેશના 200 સૈનિક પડકારો ઝીલવાની તાલીમ લઇ રહ્યા છે
પિથૌરાગઢ | ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભારત અને કઝાકિસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત ‘કાજિંદ’ શરૂ થઇ ચૂકી છે, જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. આ કવાયતમાં બંને દેશના 100-100 સૈનિક ભાગ લઇ રહ્યા છે. શનિવારે તેઓ પહાડ પર ચઢવા જેવા પડકારોનો સામનો કરવાનું શીખ્યા. 72 કલાકની આ કવાયત આતંકવાદીઓનો જુદી-જુદી રીતે સામનો કરવાની તાલીમ અને સૈનિકોના કૌશલ્યોના પ્રદર્શન સાથે પૂરી થશે.
જિનપિંગના પ્રવાસ પહેલાં ભારતના યુદ્ધાભ્યાસ સામે ચીને વાંધો ઉઠાવ્યો
એજન્સી | નવી દિલ્હી
આગામી અઠવાડિયે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નઈમાં અનૌપચારિક બેઠક માટે ભારત આવશે. આ બેઠક પહેલાં જ ચીને અરુણાચલ પ્રદેશમાં ચાલતા ભારતીય સેનાના પહેલા સૌથી મોટા પર્વતીય યુદ્ધાભ્યાસ હિમ-વિજય સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. ચીનના ઉપવિદેશમંત્રી લુઓ ઝાઓહુઈ જે પહેલા ભારતમાં ચીનના રાજદૂત હતા તેમણે વિદેશ સચિવ વિજય ગોખલે સાથેની બેઠકમાં વાંધો દર્શાવ્યો હતો. ચીને ભારતને જણાવ્યું કે આ અભ્યાસથી બંને દેશો વચ્ચે યોજાનારી ઔપચારિક બેઠક પર અસર થઇ શકે છે. ભારતીય અધિકારીઓ કહે છે કે આ અભ્યાસ વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી)થી 100 કિમી દૂર થઈ રહ્યો છે અને તેના સમયને અનૌપચારિક બેઠક સાથે કોઈ લેવાદેવા નથી કેમ કે તેની યોજના અનેક મહિના પહેલા બનાવાઈ હતી. હિમ-વિજય 14 હજાર ફૂટની ઊંચાઈએ ચાલી રહ્યો છે જેમાં ત્રણ યુદ્ધ જૂથ(પ્રત્યેકમાં 4 હજાર સૈનિકો સામેલ છે) ભાગ લઈ રહ્યાં છે. સૂત્રોએ કહ્યું કે આ અભ્યાસનો ઉદ્દેશ્ય ઊંચાઈવાળા ક્ષેત્રોમાં જવાનોને ત્યાંની પરિસ્થિતિમાં ઢાળવા અને યુદ્ધની સ્થિતિમાં ખુદને તૈયાર કરવામાં મદદ કરવાનો છે. જિનપિંગ 11 ઓક્ટોબરે ચેન્નઈ પહોંચશે. તે સાંજેે પીએમ મોદી સાથે મંદિરોના શહેર મલ્લપુરમમાં ડિનર કરશે.
નવી દિલ્હી | તિહાર જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને પેટમાં દુખાવો થતાં શનિવારે તપાસ માટે એઈમ્સ ખસેડાયા હતા. સામાન્ય રીતે તિહાર જેલના કેદીને તપાસ માટે દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલે લઇ જવાય છે. કોર્ટે એક આદેશમાં કહ્યું હતું કે જો ચિદમ્બરમની તબિયત બગડવાની ફરિયાદ કરે તો એઈમ્સ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ કે સફદરગંજ હોસ્પિટલમાં જ તેમની તપાસ કરાવજો. સીબીઆઇની વિશેષ કોર્ટે ગત બુધવારે ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 17 ઓક્ટોબર સુધી વધારી દીધી હતી.
સ્ટોકહોમ | ઉત્તર કોરિયાના તાજેતરના મિસાઈલ પરીક્ષણો બાદ અમેરિકા અને કોરિયન અધિકારીઓ વચ્ચે પરમાણુ મુદ્દે વાતચીત શરૂ થઇ હતી. ઉ.કોરિયાના કિમ મ્યોંગ ગિલ અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીફન બિએગુનના નેતૃત્વમાં બંને દેશોના અધિકારીઓની ટીમ સ્વિડનના ટાપુએ પહોંચી છે. અહીં સુરક્ષા મજબૂત કરાઈ છે. આ ટાપુ ઉ.કોરિયાના દૂતાવાસથી 100 મીટરના અંતરે છે. આ મામલે સ્વિડનના વિદેશમંત્રી આન લિન્ડે ટ્વિટમાં માહિતી આપી.
ધૂળે | 2016માં અજાણતા સરહદ ઓળંગી ગયા બાદ પાક.ના કબજામાં રહેલા જવાન ચંદુ ચૌહાણે સેના છોડી દીધી છે. તેણે કહ્યું કે સતત હેરાનગતિ બાદ તે સેના છોડી રહ્યો છે. ચંદુએ કહ્યું કે જ્યારથી હું પાકિસ્તાનથી પાછો આવ્યો છું મને હેરાન કરાઈ રહ્યો છે. એટલા માટે મેં નોકરી છોડવાનો નિર્ણય કર્યો છે. ચંદુના નજીકના સૂત્રોએ કહ્યું કે તેમણે અહેમદનગરમાં પોતાના યુનિટના કમાન્ડરને રાજીનામું મોકલી દીધું છે. સરહદ પાર કર્યા બાદ ચંદુને પાકિસ્તાની રેન્જરોએ પકડી લીધો હતો. તે 4 મહિના તેમની કસ્ટડીમાં રહ્યો હતો.
મેંગલુરુ | કર્ણાટકના મેંગલુરુમાં રહેતા 24 વર્ષીય મોહમ્મદ ફૈયાઝને અબુધાબીમાં 12 મિલિયન દિરહમ (અંદાજે 23 કરોડ રૂ.)નો જેકપોટ લાગ્યો છે. આ અંગે ફૈયાઝે જણાવ્યું કે તે આ અગાઉ 6 વખત લોટરીની ટિકિટ ખરીદી ચૂક્યો હતો. છેલ્લે 30 સપ્ટેમ્બરે અબુધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બિગ ટિકિટ લોટરી ખરીદી હતી. ફૈયાઝના કહેવા મુજબ, એક દિવસ પહેલાં જ તેણે સપનું જોયું હતું કે તેને જેકપોટ લાગ્યો છે અને બીજા જ દિવસે અબુધાબીથી ફોન આવી ગયો. બિગ ટિકિટના આયોજકોએ જણાવ્યું કે જેકપોટ જીત્યાની જાણ કરવા ફૈયાઝને ચાર વખત ફોન કરાયો પણ તેણે ફોન ન ઉપાડ્યો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VdJ5fI
via IFTTT
No comments:
Post a Comment