અયોધ્યા મુદ્દે બેન્ચની બંધબારણે ચર્ચા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 17, 2019

અયોધ્યા મુદ્દે બેન્ચની બંધબારણે ચર્ચા

અયોધ્યા વિવાદની 40 દિવસ લાંબી સુનાવણી પૂરી થતાં જ ગુરુવારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચના પાંચ જજે ચુકાદાના વિવિધ પાસાં પર વિચારવિમર્શ શરૂ કર્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીરે મધ્યસ્થી સમિતિના સેટલમેન્ટ રિપોર્ટ મુદ્દે પણ બંધ રૂમમાં ચર્ચા કરી હતી. આ કારણસર એક પણ જજ બીજી કોઈ સુનાવણીમાં સામેલ નહોતા થયા. સૂત્રોના જણાવ્યાનુસાર, મધ્યસ્થી સમિતિમાં સામેલ શ્રીરામ પંચૂને સંકેત આપ્યો હતો કે, જરૂર પડશે તો જજ તેમને પણ ચર્ચા માટે બોલાવશે, પરંતુ ગુરુવારે તેમને બોલાવાયા ન હતા. આ દરમિયાન અયોધ્યા કેસના પક્ષકાર અખિલ ભારતીય હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિનો નકશો ફાડનારા મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ફરિયાદ કરી છે. મહાસભાના પ્રવક્તા પ્રમોદ પંડિત જોશીએ લેખિત ફરિયાદ કરતા પત્રમાં કહ્યું છે કે, નકશો ફાડીને

...અનુસંધાન પાના નં. 6

મુસ્લિમ પક્ષકારે કહ્યું- ચુકાદો તરફેણમાં આવે તો પણ વિવાદિત સ્થળે ફરી મસ્જિદ ના બંધાય

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી પૂરી થયા પછી અયોધ્યામાં ખાસ કોઈ હલચલ ન હતી. પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. હાઈવેથી લઈને શહેરના અંદરના રસ્તા પર સુરક્ષા વધારાઈ રહી છે. વિવાદિત પરિસરમાં સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ તૈનાત કરાઈ છે. નેવુંના દસકામાં ચરમસીમાએ પહોંચેલા મંદિર આંદોલન વખતે જૂલુસ રોકવા માટે બનાવેલી તમામ સુરક્ષા ચોકીઓ ફરી સક્રિય થઈ ગઈ છે. ‘ભાસ્કર’ સાથેની વાતચીતમાં મુસ્લિમ પક્ષકારોએ કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ અમારી તરફેણમાં ચુકાદો આપે તો પણ મસ્જિદ બનાવવાની તૈયારી નથી. ટેઢી બજારમાં રહેતા મુદ્દઈ હાજી મહેબૂબે કહ્યું કે, ‘દેશને તબાહીથી બચાવવા અને શાંતિ કાયમ રાખવા માટે હું નથી ઈચ્છતો કે, ત્યાં ફરી મસ્જિદનો પાયો નંખાય. જો કેસ જીતી ગયા તો અમે જમીનને ઘેરીને છોડી દઈશું. અમારી મસ્જિદ બનાવવાની તૈયારી નથી.’ આ ઉપરાંત કજિયાના મહોલ્લામાં રહેતા મુદ્દઈ ઈકબાલ અન્સારીએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટનો ચુકાદો અમને મંજૂર હશે. તેની વિરુદ્ધ અપીલ નહીં કરીએ.’

 ગ્રાઉન્ડ રિપોર્ટ અયોધ્યાથી રવિ શ્રીવાસ્તવ

શિલાઓ જોવા રોજ હજારો આવી રહ્યા છે

વિશ્વ હિંદુ પરિષદની શિબિરમાં મંદિર માટે તૈયાર શીલાઓ જોવા આવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. વિહિંપના પ્રવક્તા શરદ શર્માના કહેવા પ્રમાણે, શિલાઓ જોવા રોજ હજારેક લોકો આવી રહ્યા છે. વિહિંપના કેન્દ્રિય મંત્રી રાજેન્દ્ર સિંહ પંકજે કહ્યું કે, હવે એવું કોઈ કામ નહીં થાય, જેનાથી દેશની શાંતિ જોખમાય. કારસેવા પણ નહીં થાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/35LXkgn
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here