
 આ તસવીર તેમણે ફિલ્મફેર માધુરી કોન્ટેસ્ટમાં મોકલી હતી જ્યાં આ રિજેક્ટ થઈ ગઈ હતી. પછી આ તસવીરને જોઇને ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ના મેકર્સે અમિતાભને તેમની પહેલી ફિલ્મમાં અનવરના રોલ માટે કાસ્ટ કર્યો હતો.
સૂરજ ચાર વર્ષના બ્રેક પછી પરત ફરશે
ન્યૂઝ વોચ
કૃષ્ણકાંત ઉનડકટ
નના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે ભારત આવ્યા. આજે શનિવારે તેઓ ભારતથી સીધા નેપાળની મુલાકાતે જવાના છે. 23 વર્ષ પછી ચીનના રાષ્ટ્રપતિ નેપાળ જઇ રહ્યા છે. છેલ્લે 1996માં ચીનના વડા જિયાંગ જેમિન નેપાળ ગયા હતા. જિનપિંગ ભારત આવે એ પહેલાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ચીન જઇ આવ્યા છે. પાકિસ્તાન તો પહેલેથી જ ચીનનું બગલબચ્ચું છે. નેપાળ જવા પાછળ જિનપિંગની ગણતરીઓ સાવ જુદી જ છે. ચીન નેપાળને પણ આપણા બીજા પડોશીઓની માફક ભારતથી દૂર કરીને પોતાના તરફે ખેંચવાનો પ્રયાસ કરે છે. આપણા પડોશી એવા નાના દેશો પણ હવે બંને હાથમાં લાડુ રાખવાની દાનત રાખતા થઇ ગયા છે. તેમને બંને તરફથી ફાયદો જોઇએ છે. હવેની દોસ્તીમાં વફાદારી કરતાં સ્વાર્થનું પ્રમાણ વધી ગયું છે. ચીનને પોતાને ત્યાં ઉત્પાદિત થતી વસ્તુઓ માટે બજાર જોઇએ છે. એ ત્યારે જ શક્ય બને કે જ્યારે પડોશી દેશો ભારતનો માલસામાન વાપરવાનું બંધ કરે અને ચીન પાસેથી ખરીદી કરે. ચીન પોતાનો સસ્તો તકલાદી સામાન જુદા-જુદા દેશોમાં ડમ્પ કરતું રહે છે.
ચીન આપણા પડોશીઓને એવી લાલચ આપે છે કે અમે તમારે ત્યાં મોટા પાયે મૂડીરોકાણ કરીશું. એનાથી તમારા દેશની ઇકોનોમી ઉપર આવશે, લોકોને રોજગારી મળશે. સરવાળે તમારો વિકાસ થશે. જે દેશો ચીનની ચાલ સમજી ગયા છે એમને ખબર છે કે ચીન મૂડીરોકાણ કરીને આપણા પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરે છે. પાકિસ્તાનને પણ ભલે એમ લાગતું હોય કે ચીન આપણું દોસ્ત છે પણ એ પેટમાં ઘૂસીને પગ પહોળા કરે એવો મિત્ર છે. ચીન બધાને એટલા કરજમાં ડુબાડી દે છે કે પછી એ દેશ દેવાંમાંથી મુક્ત જ ન થઇ શકે.
આપણો દેશ ચીન સાથે સેફ ડિસ્ટન્સ રાખીને સંબંધો વિકસાવે છે. એક સમય એવો હતો કે જ્યારે બે દેશ વચ્ચે કોઇ વિવાદ ન હોય ત્યારે જ સંબંધો વિકસતા હતા. દોસ્તી કે દુશ્મની વિવાદોના આધારે જ નક્કી થતી હતી. ધીમે ધીમે સ્થિતિમાં પરિવર્તન આવ્યું. દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઇ. બધા દેશોનું ધ્યેય વિકાસ અને વેપાર કેન્દ્રિત થઇ ગયું. બીજા બધા વિવાદોને બાજુમાં રાખીને એક દેશ બીજા દેશ સાથે વ્યાપાર સંબંધ બાંધતો થઇ ગયો. પાકિસ્તાન સાથે આપણે અનેક વિવાદો છે. પાકિસ્તાન સાથે ત્રણ યુદ્ધ થયાં છે. ભારતમાં થયેલી આતંકવાદી ઘટનાઓમાં પાકિસ્તાનની સંડોવણી અનેક વખત બહાર આવી છે. આમ છતાં પુલવામાના ટેરરિસ્ટ એટેક સુધી પાકિસ્તાન ભારતનું મોસ્ટ ફેવર્ડ નેશન હતું. પુલવામા પછી જ ભારતે પાકિસ્તાનને આપેલો આ દરજ્જો પાછો ખેંચ્યો હતો. ચીન સાથે પણ એ જ રીતે સરહદ અને બીજા વિવાદોને સાઇડમાં રાખીને વેપાર શરૂ કરાયો હતો. ચીન ભલે ભારત સાથેના વિવાદોને બહુ છંછેડતું નથી પણ આપણા પડોશીઓને પટાવવાના તો ભરપૂર પ્રયાસો કરતું જ રહે છે.
જિનપિંગ ચીનથી સીધા ચેન્નઇ પહોંચ્યા. ચેન્નઇથી તેઓ 62 કિલોમીટર દૂર આવેલા મહાબલિપુરમ પહોંચ્યા. આ સ્થળ પસંદ કરવા પાછળ પણ અનેક કારણો છે. એક તો મહાબલિપુરમ અને ચીન વચ્ચે 1700 વર્ષથી વધુ સમયના સાંસ્કૃતિક સંબંધો છે. દરિયાકિનારે આવેલા આ શહેરને પલ્લવ વંશના રાજા નરસિંહદેવ બર્મને વસાવ્યું હતું. ચીન અને પલ્લવ વંશ વચ્ચે સારા સંબંધો હતા અને બંને વચ્ચે એ સમયે સુરક્ષાને લઇને સમજૂતી પણ થઇ હતી. જિનપિંગ અને નરેન્દ્ર મોદી લગભગ 6 કલાક જેટલો સમય સાથે રહેવાના છે. તેમાં જે મહત્ત્વનાં કામ થવાના છે એ તો આજે શનિવારે જ થવાનાં છે. મોદી અને જિનપિંગ વેપાર સહિત અનેક ક્ષેત્રોમાં સાથે કામ કરવા અંગે વાતચીત કરશે.
ચીને જ અગાઉ કહ્યું છે કે, ચીન અને ભારત એશિયાની બે ઊભરતી શક્તિઓ છે. બંને કોઇ વિવાદમાં પડ્યા વગર સાથે મળીને કામ કરે એ જરૂરી છે. ચીન અને ભારતના સંબંધોની વાત કરીએ તો ચીને ભારતમાં આઠ અબજ ડોલર કરતાં વધુ રકમનું રોકાણ કર્યું છે. એક હજારથી વધુ ચાઇનીઝ કંપનીઓ ભારતમાં કાર્યરત છે. 21મી સદીની શરૂઆત પછી બંને દેશ વચ્ચેનો વેપાર ધીમે ધીમે વધીને 32 ગણો થયો હતો અને 100 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. ચીન હજુ ભારત સાથે વેપાર સંબંધો વધારવા ઇચ્છે છે. આપણો દેશ પણ ચીન સાથે સારા વ્યાપાર સંબંધોનો હિમાયતી રહ્યો છે. આમ છતાં ભારત ચીનની દરેક ચાલ પર બારીક નજર રાખે છે. ચીનની મથરાવટી પહેલેથી જ મેલી રહી છે. એક સમયે હિન્દી-ચીની ભાઇ-ભાઇના નારા લાગતા હતા. એ જ ચીને ભારત સામે યુદ્ધ છેડીને પીઠમાં ખંજર ભોંક્યું હતું. જોકે, એ સમય અને અત્યારના સમયમાં ઘણો ફરક છે. હવે સંબંધોનું માપ એકબીજા દેશો વચ્ચે કેટલો વેપાર થાય છે તેના પરથી નક્કી થાય છે. જિનપિંગ નેપાળમાં એક રાત રોકાવાના છે. નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલી જિનપિંગની મુલાકાત માટે એક્સાઇટેડ છે. ચીન અને નેપાળ વચ્ચે અનેક સમજૂતીઓ થવાની છે. ચીને નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને બીજા પડોશી દેશમાં તો મોટા પાયે ઘૂસણખોરી કરી છે. ભારત જેનો વિરોધ કરે છે એ ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ સાથે આ બધા દેશો જોડાઇ ગયા છે. ચીને નેપાળ સાથે ક્રોસ બોર્ડર ઇકોનોમિક ઝોન બનાવવા કરાર કર્યા છે. ચીનથી નેપાળ સુધી ટ્રેન વ્યવહાર શરૂ કરવાની યોજના પર પર કામ ચાલુ થઇ ગયું છે. નેપાળની રાજધાની કાઠમંડુની અનેક શાળાઓમાં ચાઇનીઝ ભાષા મેન્ડેરીન શીખવવામાં આવે છે અને જે શિક્ષકો મેન્ડેરીન શીખવે છે તેમને પગાર પણ ચીન સરકાર આપે છે. જિનપિંગ નેપાળની મુલાકાત વખતે પણ વધુ જાહેરાતો કરે એવી શક્યતા છે.
ભારત અને નેપાળના સંબંધોનો ઇતિહાસ સદીઓ જૂનો છે. નેપાળના દરેક સંકટ વખતે કે નેપાળને જ્યારે જરૂર પડી ત્યારે ભારત તેની પડખે રહ્યું છે. નેપાળમાં કોઇ પણ વ્યક્તિ વડાપ્રધાન બને એટલે સૌથી પહેલી વિદેશ મુલાકાત ભારતની જ કરે છે. કે. પી. શર્મા ઓલી પણ સૌથી પહેલાં ભારત જ આવ્યા હતા. જોકે, તેમનો ઘણો ઝુકાવ ચીન તરફ રહ્યો છે. નેપાળની ભારત પ્રત્યેની નારાજગી પાછળ એક કારણ પણ છે. 2015માં નેપાળે નવું બંધારણ અપનાવ્યું હતું. આ બંધારણની અમુક કલમો સામે મધેસિયા સમાજના લોકોએ વાંધો ઉઠાવીને આંદોલન શરૂ કર્યું હતું. નેપાળના મધેસિયા લોકોનાં મૂળ બિહાર અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલાં છે. એ સમયે નેપાળે ભારત પર એવો આક્ષેપ કર્યો હતો કે ભારત મધેસિયા આંદોલનને મદદ કરે છે અને આવું કરીને અમારી આંતરિક બાબતોમાં દખલ કરે છે. આંદોલનને ધ્યાનમાં રાખીને આપણા દેશે નાકાબંધી કરીને નેપાળ જતો માલસામાન અટકાવી દીધો હતો. ભારતથી ચીજવસ્તુઓ નેપાળ ન પહોંચતાં નેપાળમાં અંધાધૂંધી સર્જાઇ હતી. ભારતથી પેટ્રોલ અને ડીઝલ ન પહોંચતાં નેપાળમાં વાહનવ્યવહારને મોટી અસર થઇ હતી. નેપાળ પાસે પોતાનાં વિમાનો ઉડાડવા પણ ઇંધણ નહોતું. ચીને આ મોકાનો ફાયદો ઉઠાવ્યો હતો. ચીને પ્રાયોરિટીના ધોરણે નેપાળને તમામ મદદ પહોંચતી કરી હતી. ભારતે આમ તો થોડા સમયમાં જ નાકાબંધી ઉઠાવી લીધી હતી પણ નેપાળ આ ઘટનાને હજુ ભૂલ્યું નથી. નેપાળ અને ભારતની સરહદ 1,758 કિલામીટરની છે. નેપાળ ત્રણ તરફથી ભારત સાથે અને એક બાજુએથી ચીન સાથે જોડાયેલું છે. ચીન પોતાની બાજુએથી નેપાળમાં ઘૂસવાના પ્રયત્નો કરે છે.
ભારતે ગયા મહિને જ ભારત-નેપાળ પેટ્રોલિયમ પાઇપલાઇનનો પ્રારંભ કર્યો હતો. બિહારના બેગુસરાયમાં આવેલી બરૌની રિફાઇનરીથી નેપાળના અમલેખગંજ સુધીની આ પાઇપલાઇન એશિયાની સૌથી પહેલી ક્રોસ બોર્ડર પાઇપલાઇન છે. 69 કિલોમીટરની આ પાઇપલાઇન શરૂ થતાં જ નેપાળમાં પેટ્રોલના ભાવમાં સવાથી દોઢ રૂપિયાનો ઘટાડો થઇ ગયો હતો. આ પાઇપલાઇન શરૂ થઇ એ વખતે નેપાળ દ્વારા એવી વાત કરાઇ હતી કે, ચીન સાથેના નેપાળના સંબંધોથી ભારતે જરાય પરેશાન થવાની જરૂર નથી. ભારત સાથેના નેપાળના સંબંધો અગાઉ જેવા જ સમૃદ્ધ છે. આપણો દેશ પણ નેપાળને એ વાત સમજાવવાની કોશિશ કરતો રહ્યો છે કે ચીને પાકિસ્તાન, લાઓસ, તજાકિસ્તાન, માલદીવ, જીબૌતી, કિર્ગિસ્તાન, મંગોલિયા, શ્રીલંકા જેવા અનેક દેશોને કરજમાં ડુબાડી દીધા છે. એ દેશો નાણાં ચૂકવી ન શકે એટલે ચીન એની પાસે પોતાની શરતો મનાવે છે. જોકે, લાલચ હોય ત્યારે નાના દેશો લાંબું વિચારતા નથી. નેપાળ પણ ચીનની ચુંગાલમાં ફસાઇ રહ્યું છે ત્યારે આપણા દેશે આ જૂના મિત્રને સાચવવા વધુ પ્રયાસો કરવા પડશે.
kkantu@gmail.com
ચી
આનંદ પંડિતે આપ્યું સરપ્રાઇઝ
દિગ્ગજ નિર્માતા આનંદ પંડિતની અમિતાભ સાથે ખૂબ જૂની મિત્રતા છે. શુક્રવારે બિગ બીના જન્મદિવસ પર આનંદે તેમને સરપ્રાઇઝ આપવાની એક અનોખી રીત શોધી કાઢી. આનંદે બચ્ચન દ્વારા ભજવેલા યાદગાર પાત્રોની 100 તસવીરોનો એક વિશેષ વીડિયો કોલાજ બનાવ્યો જેને ભેગા કરીને બિગ બીની અપકમિંગ ફિલ્મ ‘ચહેરે’નો લુક સામે આવે છે. ખાસ વાત એ છે કે તેમનો આ સંદેશ દેશભરના થિયેટરોમાં ઓછામાં ઓછો 60 હજાર વખત બતાવવામાં આવ્યો. અમિતાભની અપકમિંગ ફિલ્મ ‘ચહેરે’ને આનંદ પંડિતે જ પ્રોડ્યૂસ કરી છે. સંયોગથી અત્યારે અભિષેક પણ આનંદની જ ફિલ્મ ‘ધ બિગ બુલ’માં કામ કરી રહ્યા છે.
શુક્રવારે અમિતાભ બચ્ચનના 77મા જન્મદિવસ પર તેમની દીકરી શ્વેતા નંદા બચ્ચને સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી. શ્વેતાએ લખ્યું,
 ‘જ્યારે તમારે પર્વતની ઊંચાઈઓ સુધી પહોંચવાનું હોય ત્યારે ચઢતા રહો. હેપ્પી બર્થડે પપ્પા, હું તમને ખૂબ પ્રેમ કરું છું.’


નેપાળ ભારતથી દૂર થાય એ માટે ચીન તમામ દાવપેચ અજમાવે છે: પડોશીઓ સાથે ભારતના સારા સંબંધો ચીનથી સહન થતા નથી
જિનપિંગ ભારતથી સીધા નેપાળ જઇને શું કરવાના છે?
ગુજરાતી આદિત્ય રાવલને અલ્હાબાદી બનવામાં ચાર મહિના લાગ્યા
પરેશ રાવલના દીકરા આદિત્યને ‘બમફાડ’થી લોન્ચ કરી રહ્યો છે અનુરાગ
અમિત કર્મ, મુંબઈ
બો લિવૂડમાં આ વર્ષના અંત સુધી એક અન્ય સ્ટાર કિડની એન્ટ્રી થવાની છે. એ છે પરેશ રાવલનો દીકરા આદિત્ય રાવલ જેણે અનુરાગ કશ્યપ લોન્ચ કરી રહ્યા છે. આ એક રોમેન્ટિક ફિલ્મ છે જેનું નામ ‘બમફાડ’ છે. ખાસ વાત એ છે કે આદિત્ય ગુજરાતી છે અને આ ફિલ્મના બેકડ્રોપમાં અલાહાબાદ છે. એવામાં તેને યૂપીનો એ ટોન પકડવા માટે ચાર મહિના સુધી ખૂબ મહેનત કરવી પડી. આ ફિલ્મમાં આદિત્યના મિત્રના રોલમાં ‘સેક્રેડ ગેમ્સ’ ફેમ જતિન સરના દેખાશે. તેમજ વિલેનનો રોલ ‘ગલી બૉય’ ફેમ વિજય વર્મા પ્લે કરી રહ્યો છે.
ત્રણથી ચાર મહિનાની ડેડલાઇન આપી હતી
 ‘આદિત્ય ચોક્કસ ગુજરાતી છે પરંતુ તેણે ફિલ્મમાં અલાહાબાદનો ટોન ખૂબ સારી રીતે પકડી લીધો છે. આ બાબતે તેની ટ્રેનિંગ મેં સ્વયં કરી કારણ કે હું સ્વયં કાનપુરનો છું. મેં તેને એમ જ કાસ્ટ નથી કર્યો. તેને ત્રણથી ચાર મહિનાની ડેડલાઇન આપી હતી. તે ટાઇમફ્રેમમાં તે ડાયલેક્ટ પર પકડ ન બનાવી શકે તો તેને રિજેક્ટ પણ કરી શકાતો હતો. જોકે, એવી સ્થિતિ આવી નહીં. હવે તો ફિલ્મમાં તેણે અલાહાબાદી ટોનમાં વાત કરતા જોઇ દર્શક ચોક્કસપણે એવું નહીં કહી શકે કે આદિત્ય ગુજરાતી છે.’ - રંજન ચંદેલ, ડાયરેક્ટર
‘કબીર સિંહ’ના મેકર્સ હવે ક્રાઇમ ડ્રામા બનાવશે
bollywood glamour
અપકમિંગ પ્રોજેક્ટ...


શાલિની બોલિવૂડ ડેબ્યૂ કરશે
આ ફિલ્મમાં આદિત્યના ઓપોઝિટ શાલિની પાંડે હશે. તે આ પહેલા સાઉથની હિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’માં કામ કરી ચૂકી છે. હિન્દીમાં શાલિની માટે પણ આ ડેબ્યૂ ફિલ્મ હશે. જોકે, તે મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી છે એવામાં તેને અલાહાબાદી યુવતીના રોલનો એક્સેન્ટને પકડવામાં વધુ તકલીફ નથી થઈ. બીજી તરફ વિલેન વિજય વર્મા પહેલાથી જ અલાહાબાદના બેકડ્રોપ પર ‘હુડદંગ’ કરી રહ્યો છે તો તેને પણ એક્સેન્ટને લઈને સમસ્યા નથી થઈ.
બદલાઇ ‘મરજાવાં’ની રિલીઝ ડેટ
તેમજ બીજી તરફ ફિલ્મમેકર ભૂષણ કુમારે પોતાની ફિલ્મ ‘મરજાવાં’ની પણ રિલીઝ ડેટ ગુરુવારે શિફ્ટ કરી દીધી. પહેલા આ ફિલ્મ 8મી નવેમ્બરના રિલીઝ થવાની હતી પરંતુ હવે જ્યારે તે દિવસે આયુષ્યમાન ખુરાનાની ‘બાલા’ રિલીઝ થવાની છે તો મેકર્સે આ ફિલ્મને એક સપ્તાહ પછી 15 નવેમ્બરના રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.
અજયના જીવન પર ટૂંક સમયમાં લખાશે પુસ્તક


કંઈક આ રીતે કરી તૈયારી






આ છે કહાણી
ફિલ્મની કહાણી મૂળ રૂપથી અલાહાબાદના મિડિલ ક્લાસ ફેમિલીમાં પ્રેમની માન્યતાઓ અને રીતને લઈને છે. આદિત્ય તેમાં ઠેકેદારના દીકરાના રોલમાં છે. રજંન ચંદેલે તેમાં અલાહાબાદના સ્ટુડન્ટ પોલિટિક્સ અને ત્યાંની ડાયલોગબાજીને નથી રાખી. તેનું ફોકસ અલાહાબાદ પર ફ્રેશ ટેક લેવા પર છે. તેનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને હવે આ વર્ષના અંત સુધી રિલીઝ થવાની તૈયારી છે.
ગોસિપ કોર્નર...
રાજકોટ, શનિવાર, 12 ઓક્ટોબર
ફિલ્મ ડ્રાઇવનું ગીત...
ઇજાગ્રસ્ત હોવા છતાં જેકલીને ‘કર્મા’ સોન્ગનું શૂટિંગ કર્યું


જેકલીને આ ગીતના શૂટિંગ દરમિયાન કેટલાક સ્ટન્ટ કર્યા અને ઇજાગ્રસ્ત હોવા છતા તેણે શૂટિંગ ચાલુ રાખ્યું. તેણે સહજતાથી દરેક સ્ટેપ કર્યા. શોટ ઓકે થયા પછી ફિલ્મની આખી યૂનિટે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ‘ડ્રાઇવ’ 1લી નવેમ્બરના નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
એમએમએની બીજી બ્રાન્ચ...
ટાઇગર શ્રોફ બહેન કૃષ્ણા સાથે બરેલીમાં જિમ ખોલશે


| 12
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OHUHX0
via IFTTT
No comments:
Post a Comment