
ન્યૂઝ બ્રિફ
એસબીઆઈ હોમ લોન પર હવે પ્રોસેસિંગ ફી વસૂલશે
બેંગ્લુરુ| એસબીઆઈ હવે હોમ લોન, ટોપઅપ લોન, બિલ્ડર્સ અને કોર્પોરેટને અપાતી લોન માટે પ્રોસેસિંગ ફી વસૂલશે. રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં કાપ મૂકાતા આવક ઘટવાને કારણે બેન્કે આ પગલું લીધું છે. એક સરક્યુલરમાં એસબીઆઈએ કહ્યું કે 16 ઓક્ટોબરથી તે પ્રોસેસિંગ ફી વસૂલશે.
આજથી 5 દિવસ સુધી રાત્રે પણ તાજના દિદાર થશે
આગ્રા | 13 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાને લીધે પર્યટકો શનિવારથી સતત ચાર દિવસ ચમકતા તાજ મહેલનો દિદાર કરી શકશે. સુપ્રીમકોર્ટના આદેશ પછી 2004થી શરદ પૂર્ણિમાના બે દિવસ પહેલાથી બે દિવસ પછી રાતમાં તાજમહેલ ખોલવામાં આવે છે. વર્ષમાં આ પાંચ દિવસ જ રાત્રે તાજમહેલ ખોલવામાં આવે છે.
બ્રિટન ગાંધી સ્મારક સિક્કા બહાર પાડશે
લંડન | બ્રિટિશ સરકાર મહાત્મા ગાંધીની 150 જયંતીના પ્રસંગે સ્મારક સિક્કા બહાર પાડશે. બ્રિટિશ નાણામંત્રી સાજિદ જાવિદે કહ્યું કે બ્રિટને રોયલ મિન્ટને આ સિક્કા બનાવા કહ્યું છે.


2397 કરોડની છેતરપિંડી, શિવિન્દરનો ભાઈ માલવિન્દર પણ પકડાયો
એજન્સી | નવી દિલ્હી
દિલ્હી પોલીસના આર્થિક ગુના વિભાગ (પીઓડબલ્યુ)એ રેલીગર ઇન્વેસ્ટ લિમિટેડ (આરએફએલ)ના 2397 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં શુક્રવારે ફોર્ટિસ હેલ્થકેરના પ્રમોટર શિવિન્દરના ભાઈ માલવિન્દર મોહનસિંહની પણ ધરપકડ કરી હતી. તેને લુધિયાણામાંથી પકડી દિલ્હી લવાયા હતા. ત્યારબાદ બંને ભાઈઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. બંનેને 5 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
રેલીગેર એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ (આરઈએલ)ના પૂર્વ ચેરમેન અને એમડી સુનિલ ગોધવાણી, કવિ અરોરા અને અનિલ સખસેનાને શિવિન્દરની સાથે ગુરુવારે જ પકડવામાં આવ્યા હતા.


હુમલા વખતે ટેન્કર સાઉદીના જેદ્દાહ બંદરેથી 97 કિ.મી દૂર હતું
બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 2%નો વધારો
ટેન્કર પર હુમલાના સમાચાર પછી બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 2%નો વધારો થયો છે અને તેનો ભાવ પ્રતિ બેરલ 60 ડોલરે પહોંચી ગયો છે. ડબલ્યુટીઈ ક્રૂડ 2% વધીને 54 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યું છે. કેટલાક મહિનાથી ખાડીમાં તેલના ટેન્કરો પર થઈ રહેલા હુમલાથી ભારે તણાવ સર્જાયો છે. પરિણામે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે.
બંને ભાઈઓ સામે મનીલોન્ડરિંગ બદલ કેસ નોંધાયેલો છે
ઇડીએ શિવિન્દર અને માલવિન્દર બંને ભાઈઓ વિરુદ્ધ ઓગસ્ટમાં મનીલોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધી દરોડા પાડ્યા હતા. પરંતુ બંને ભાઈઓ વચ્ચે ફન્ડ ડાયવર્ટના આરોપો અને અન્ય મામલાને લઈ વિવાદ ઉજાગર થયા. માલવિન્દરે એફઆઈઆર રદ કરવા અરજી કરી છે. માલવિન્દરે ધરપકડ પહેલા ગુરુવારે હાઈકોર્ટમાં ઇઓડબલ્યુની એફઆઈઆર રદ કરવા અરજી કરી છે. તેની શુક્રવારે સુનાવણી હાથ ધરાઈ હતી.
શિવિન્દર સિંહ
સાઉદીના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલો થયો હતો
ગયા મહિને સાઉદી અરબમાં દુનિયાની સૌથી મોટી તેલ કંપની અરામ્કોના બે ઓઈલ પ્લાન્ટ પર ડ્રોન હુમલો થયો હતો. પરિણામે દુનિયામાં તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો હતો. આ સાથે સાઉદી અને ઈરાન વચ્ચે હિંસક ઘર્ષણ થાય એવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે, ડ્રોન હુમલાની જવાબદારી યમનના હુતી વિદ્રોહીઓએ લીધી હતી.
માલવિન્દર સિંહ
આ તસવીરને ટ્વિટર પર એક ઈરાની અખબારે જારી કરીને કહ્યું છે કે, આ હુમલાથી ટેન્કરના અનેક હિસ્સાને ભારે નુકસાન પહોંચ્યું છે. સમુદ્રમાં તેલનું ગળતર પણ થઈ રહ્યું છે, જેને રોકવા સતત પ્રયાસ થઈ રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/315S97t
via IFTTT
No comments:
Post a Comment