પાણી બચાવવા કરતાં તેના સંગ્રહ માટે ઉપાય કરવાની જરૂર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 14, 2019

પાણી બચાવવા કરતાં તેના સંગ્રહ માટે ઉપાય કરવાની જરૂર

પણે પણ વિચિત્ર મુંઝવણમાં છીએ. ક્યારેક કહીએ છીએ કે પાણી નથી, ક્યારેક કહીએ છીએ કે પાણી જ પાણી છે. ચારે બાજુ ‘જલ-જલા’ પછી કહેતા રહીએ છીએ કે પાણી બચાવો. પાણી બચાવોનો નારો આપનારા ભાગ્યે જ વિચારે છે કે છેવટે આ પોકારની જરૂર માટે આવી રહી છે? શું ખરેખર કુદરતે એટલું મોઢું ફેરવી લીધું છે કે આપણે પાણી માટે ત્રાહી-ત્રાહી પોકારી ઉઠીએ? નહીં, અત્યારે એવી સ્થિતિ સર્જાઇ નથી. કુદરત મહેરબાન છે. વરસાદ મન મૂકીને વરસ્યો છે. જુઓ હમણા થોડા દિવસો પહેલાં જ બિહારના પટણા અને મધ્ય પ્રદેશથી લઇ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લા વરસાદનો કેર સહન કરી રહ્યા હતા. દેશમાં સામાન્ય વરસાદ થયો. એટલે પ્કૃતિએ તો આપણને પાણી આપવામાં સંકોચ ન કર્યો. પરંતુ આપણે છીએ કે માનતા નથી. આપણી સિસ્ટમ કહે છે કે પાણી આવે તો તેનાથી લોકોને બચાવવા માટેના દરેક પ્રકારના ઉપાય કરી લો. પરંતુ જ્યારે વરસાદનું પાણી ઝડપથી વહી જતું હોય તો તેના બચાવવા માટે કાંઇ ક કરવામાં ખબર નહીં કેમ આપણે પાછળ પડી જઇએ છીએ. નોંધનીય છે કે વરસાદનું જેટલું પાણી દેશમાં પડે છે, આપણે તેનો માત્ર 13.5 ટકા હિસ્સો જ ઉપયોગ માટે રોકી શકીએ છીએ. 86.5 ટકા પાણી વ્યર્થ થઇ જાય છે. છતાં આપણે કહીએ છીએ કે- પાણી બચાવો.. પાણી બચાવો. આઝાદીના 7 દાયકા પછી પણ આપણે એ કહી શકતા નથી કે આપણે વરસાદનું પાણી રોકવા માટે પુરતા ઉપાય કરી લીધા છે.

આંકડા જુઓ- આઝાદીના સમયમાં આશરે 400 ડેમ હતા. 72 વર્ષ બાદ પણ આપણે પાણી રોકનારા બંધની સંખ્યા માત્ર 4000 સુધી પહોંચાડી શક્યા છીએ. એ જ કારણ છે કે કુદરતની મહેરબાની હોવા છતાં આપણે તેનો ઇશારો સમજી શકતા નથી.

જો સરકાર આપણી શુચિંતક હોત તો આટલા મોટા દેશમાં એવા બંધોની સંખ્યા 70 હજાર સુધી પહોંચી શક્યો હોત. હવે જુઓ, ઇઝરાયેલને જ્યાં માત્ર 4 ઇંચ વરસાદ થાય છે, પરંતુ તે વરસાદી પાણીનું એવું સંચય કરે છે કે ખેતીમાં તે સમગ્ર વિશ્વમાં અગ્રણી છે અને આપણે ત્યાં 35 ઇંચ વરસાદ થતો હોવા છતાં આપણે પાછળ છીએ.

છેલ્લા 20-25 વર્ષોથી દેશની નદીઓને જોડવાની જરૂરિયાત પર માત્ર ચર્ચા થઇ રહી છે. તેનો નિર્ણય ન તો આપણે કે એ લોકો કરી શક્યા, જેમને પાણીની ચિંતા છે. નિર્ણય જેમને કરવો છએ તેમની પ્રાથમિક્તામાં હજુ પાણી નથી. સાચુ માનો જે દિવસે પાણી આપણા દેશના રાજકારણ સાથે સંકળાઇ જશે, દેશની તમામ નીતિઓ બદલાઇ જશે. નિર્ણયો પણ થવા લાગશે.

અનામત અને વોટ બેન્કના રાજકારણને જ જોઇ લો. કોઇ પણ રાજ્ય સરકાર વોટ બેન્કને સાધવાની કોઇ તક છોડતી નથી. ભલે પછી તેના માટે દેશના બંધારણની જોગવાઇઓની અવગણના કરવી કેમ ન પડે. હાં પાણી બચાવનું ભાષણ સાંભળવામાં સારું જરૂર લાગે પરંતુ સરકારી ફાઇલો અને નોટશીટ હજુ પાણીદાર થઇ શકી નથી. અે દિવસની રાહ જુઓ જે દિવસે રાજકારણને પોતાના ચમકદાર સફેદ વસ્ત્ર ધોવા માટે પાણીની અચત સર્જાશે. એ તો હકીકત છે કે આપણે ચંદ્ર સુધી પહોંચવાનું સાહસ કરી લીધું છે પરંતુ હજુ સુધી આપણે પાણી બચાવી શક્યા નથી. પાણી નથી બનાવી શકતા પરંતુ તેને બચાવવા-સંયચ કરવા માટે તો જરૂર વિચારી શકીએ છીએ.

સુર્ખિયો સે આગે

ससઆ

શિવ દુબે, એડિટર, દૈનિક ભાસ્કર, છત્તીસગઢ (સિટી)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - need to resort to its storage rather than save water 085521


from Divya Bhaskar https://ift.tt/2IRHMOo
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here