શાસ્ત્રો અનુસાર કાર્તિક મહિનાના કૃષ્ણપક્ષ દિવસે પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 17, 2019

શાસ્ત્રો અનુસાર કાર્તિક મહિનાના કૃષ્ણપક્ષ દિવસે પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ

શાસ્ત્રો અનુસાર કાર્તિક મહિનાના કૃષ્ણપક્ષ દિવસે પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે કરવા ચોથના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આ વ્રતમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય તથા સારા સ્વાસ્થ્યની મનોકામના માટે કરવા ચોથે માતાજીની પૂજા કરી હતી. સૌભાગ્યવતી સ્ત્રીઓએ વહેલી સવારના ત્રણ વાગ્યે ઉઠી પોતાની સાસુ દ્વારા આપવામાં આવેલી સરગી (ફળ - મીંઠુ દૂધ) પ્રસાદ રૂપે ગ્રહણ કર્યું હતું. ત્યારબાદ આખો દિવસ કોરો ઉપવાસ કર્યો હતો અને રાત્રે સોળે શણગાર સજી ચાળણી દ્વારા ચંદ્રના દર્શન કરી પોતાના પતિનો ચહેરો જોયા બાદ પતિના હાથે જળગ્રહણ કરી ખૂબ જ કઠણવ્રતનું સમાપન કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MVch7g
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here