
બેંગલુરુ | કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરીએ સદનની કાર્યવાહી દરમિયાન મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સ્પીકરના આ નિર્ણયનો જોરદાર વિરોધ કરાયો તો તેમણે કહ્યું કે આ પ્રતિબંધ નિયમ પ્રમાણે જ મુકાયો છે. તેનો હેતુ મીડિયાની આઝાદી ખતમ કરવાનો નથી. અા પ્રતિબંધ પરીક્ષણના આધારે જ લગાવાયો છે. કર્ણાટક વિધાનસભાનું ત્રિદિવસીય શીતકાલીન સત્ર ગુરુવારથી શરૂ થઈ રહ્યું છે. આ મુદ્દે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે તેઓ મીડિયાને પ્રતિબંધિત કરવા મુદ્દે પુનર્વિચાર કરવા સ્પીકરને રજૂઆત કરશે. જ્યારે પૂર્વ સીએમએ સરકારના પગલાંને શરમજનક ગણાવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33ktVrO
via
IFTTT
No comments:
Post a Comment