અમિત શાહે કહ્યું- હવે એક જવાન શહીદ થશે તો 10 દુશ્મનને મારવામાં આવશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

અમિત શાહે કહ્યું- હવે એક જવાન શહીદ થશે તો 10 દુશ્મનને મારવામાં આવશે


બે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હવે માંડ દસ દિવસ બાકી છે. ભાજપ અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહે આક્રમક પ્રચાર કરવા રેલીઓ યોજવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે તેમણે મહારાષ્ટ્રમાં ચાર સભા સંબોધી હતી. સાંગલીની સભામાં શાહે કહ્યું કે, મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને ભારતને અખંડ કર્યું છે. આખો દેશ કાશ્મીરનું એકીકરણ ઈચ્છતો હતો, ત્યારે કોંગ્રેસ-એનસીપીએ વિરોધ કર્યો. કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, 5 ઓગસ્ટથી 5 ઓક્ટોબર થઈ ગઈ, એક ગોળી ના છોડવી પડી. હવે એક પણ ભારતીય જવાન શહીદ થશે, તો 10 દુશ્મન મારીશું.

ચૂંટણીમાં રાફેલની શસ્ત્રપૂજા અને કલમ 370 મોટા મુદ્દા

પરિવારવાદ પર હુમલો

બેઠક ભાજપને આપી, શિવસેનાના 26 કોર્પોરેટરે રાજીનામા ધર્યા

શિવસેનાના 26 કોર્પોરેટર અને 300 કાર્યકરે પક્ષના વિરોધમાં રાજીનામું આપી દીધું છે. આ કોર્પોરેટરો કલ્યાણ (પૂર્વ) વિધાનસભા ક્ષેત્રના છે. તેમની નારાજગી કલ્યાણ બેઠક ભાજપને આપવા મુદ્દે છે. ભાજપ-શિવસેના વચ્ચે થયેલી બેઠક વહેંચણીમાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ છે. ભાજપે ત્યાંથી ગણપત ગાયકવાડને ઉમેદવાર બનાવ્યા છે.

હરિયાણા: ભાજપ ઉમેદવારે કહ્યું- જ્યારે તમારો ભાઈ ધારાસભ્ય બનશે, તો ટ્રાફિક ચલાણ જેવી મુશ્કેલીઓ જ ખતમ થઈ જશે

ફતેહાબાદ | હરિયાણાના ફતેહાબાદથી ભાજપ ઉમેદવાર ડુરારામ બિશ્નોઈએ પ્રચાર દરમિયાન વાહનવ્યવહારના નિયમોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે મને ધારાસભ્ય બનાવીને મોકલશો તો નાની-મોટી મુશ્કેલીઓ ખતમ થઈ જશે. પછી તે નશાનો મુદ્દો હોય કે પછી મોટરસાઈકલ ચાલકોનું ચલાણ કાપવાનો.

રાફેલ પર નવી ટ્રકની જેમ લીંબુ-મરચા લટકાવાયા: પવાર

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે સંરક્ષણ મંત્રી દ્વારા કરાયેલી રાફેલની શસ્ત્રપૂજા પર વ્યંગ કર્યો છે. પવારે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા માટે જે નિર્ણય લેવાયો, એ વિશે કોઈ શંકા નથી, પરંતુ રાફેલ પર લીંબુ-મરચા લટકાવાયા, જેથી તેને નજર ના લાગે. નવી ખરીદેલી ટ્રક પર આ રીતે લીંબુ-મરચા લટકાવાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - amit shah said now if one jawan is martyred then 10 enemy will be killed 063133


from Divya Bhaskar https://ift.tt/35tNZtR
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here