


એજન્સી | ચેન્નાઈ
ચીનના પ્રમુખ શી જિનપિંગ, પીએમ નરેન્દ્ર મોદી સાથે બીજી અનૌપચારિક વાતચીત માટે શુક્રવારે બપોરે ચેન્નાઈ પહોંચશે. બે દિવસની તેમની યાત્રાને લઈને ચેન્નાઈમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. આ ઉપરાંત તેમના સ્વાગતની પણ વિશેષ તૈયારી કરાઈ છે. ચેન્નાઈ એરપોર્ટને પરંપરાગત રીતે કેળાનાં પાન અને ફળ-ફૂલની માળાઓથી સજાવાયું છે. તેમનું અનોખું સ્વાગત કરવા બે હજાર બાળકો જિનપિંગનું મહોરું પહેરીને અંગ્રેજી શબ્દના વેલકમની મુદ્રા બનાવશે. જ્યાંથી જિનપિંગ પસાર થશે, ત્યાં ભારત અને ચીનના ઝંડા લાગેલા હશે. એરપોર્ટથી જિનપિંગ સાથે પીએમ મોદી હોટેલ જશે. ત્યાં ભોજન પછી સાંજે આશરે પાંચ વાગ્યે જિનપિંગ 60 કિ.મી. દૂર મહાબલીપુરમ પહોંચશે. ત્યાં તેઓ વૈશ્વિક વારસામાં સામેલ શોર મંદિર, સાતમી સદીના અર્જુનનું તપસ્યા સ્મારક અને પલ્લવ વંશે બનાવેલા પાંચ રથ મંદિરને જોશે. ત્યાંથી બંને નેતા ડિનર માટે જશે. પ્રતિનિધિ સ્તરની બેઠક પછી મોદી અને જિનપિંગ સાથે ભોજન લેશે. બપોરે જિનપિંગ ચીન પરત જશે. મોદી અને ચીની પ્રમુખ વચ્ચે આવી અનૌપચારિક બેઠક ગયા વર્ષે વુહાનમાં થઈ હતી.
મોદી-શી વચ્ચે વેપાર, સરહદ વિવાદ મુદ્દે વાત થઈ શકે
મહાબલીપુરમમાં મોદી અને જિનપિંગ વચ્ચે અનૌપચારિક મંત્રણામાં ભારત-પેસિફિક, આતંકવાદ, કારોબારી અસંતુલન મુદ્દે ગંભીર ચર્ચા થવાની આશા છે. બંને નેતા બેંગકોકમાં 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર વચ્ચે યોજાનાર આસિયાન સંમેલનમાં ફરી મળશે. ત્યાં બંને સંમેલનથી અલગ મંત્રણા કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35pbnIN
via IFTTT
No comments:
Post a Comment