દેશમાં વૃદ્ધોની ઉપેક્ષા કારણ કે તે વોટબેન્ક નથી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

દેશમાં વૃદ્ધોની ઉપેક્ષા કારણ કે તે વોટબેન્ક નથી

શમાં 12 કરોડ વૃદ્ધો એટલે કે વરિષ્ઠ નાગરિકોની સરકારો અવગણના કરતી રહી છે. એફડી વ્યાજદરોમાં સતત ઘટાડો એ વાતના સંકેત છે. હવે બેથી ત્રણ વર્ષ સુધીની ડિપોઝિટ પર ફક્ત 6.4 ટકા વ્યાજ અપાશે. દેશમાં 4.10 કરોડ વૃદ્ધ ખાતેદારો છે જેમના 14 લાખ કરોડ રૂપિયા બેન્કોમાં એફડી તરીકે જમા છે. એક એવી અર્થવ્યવસ્થામાં જેમાં આગામી દિવસોમાં વ્યાજદરોમાં ઘટાડો થવાના સંકેત છે, વૃદ્ધોની અવગણના(સરકાર તેમના માટે ફક્ત 0.5 ટકા વધુ વ્યાજ ચૂકવે છે અને રાષ્ટ્રીય બચત યોજનામાં ફક્ત 15 લાખ રૂપિયાની મર્યાદા પણ છે) આ તથ્યથી સ્પષ્ટ છે કે જ્યાં દરેક ખેડૂતોને વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ તરીકે 6000 રૂપિયા દર વર્ષે આપે છે જ્યારે અનેક રાજ્ય સકારો તેમને ખુશ કરવા માટે અલગથી અનેક મનમોહક યોજનાઓ હેઠળ 6500થી 10,000 રૂપિયા આપી રહી છે. દુનિયાના તમામ કલ્યાણકારી દેશોની એક સર્વમાન્ય વિચારધારા છે કે દેશની જીડીપી જો વધી રહી છે તો સામાજિક સુરક્ષા યોજનાઓ વધારે શરૂ કરવામાં આવે ખાસ કરીતે તેમના માટે જે કમાતા નથી. ભારતમાં 1961માં કુલ વસતીમાં વૃદ્ધોની ટકાવારી ફક્ત 5.6 હતી જે 2011ની મતગણતરીમાં 8.6 ટકા મળી આવી અને આજે તે 11 ટકાએ પહોંચી ગઈ છે. તેમાં શહેરી વૃદ્ધ માત્ર 29 ટકા છે જોકે ગ્રામીણ વૃદ્ધ 71 ટકા છે. 1961માં આ વર્ગનો નિર્ભરતા પ્રમાણ(બીજાના સહારે રહેવું) પણ આજે લગભગ 16 થઈ ગયું છે એટલે કે દરેક છઠ્ઠા વૃદ્ધ કે દરેક ત્રીજા પરિવારના વૃદ્ધ દંપત્તિને સહારાની જરૂર છે. આ વર્ગની બે અક્ષમતાઓ જગજાહેર છે- ચાલવામાં દુશ્વારી અને દિલ કી બીમારી. આર્થિક મજબૂતી ઓછી થવા પર સગાઓ પણ સાથ છોડી દે છે અને સારવારનો ખર્ચ અત્યંત વધી જાય છે પણ સરકારે જ્યાં પોતાના કર્મચારીઓ માટે દિવાળી ભેટ તરીકે મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કર્યો ત્યાં ખાનગી ક્ષેત્રોમાં નોકરી પરથી નિવૃત કે ગામના વૃદ્ધોના એકમાત્ર સહારા વ્યાજ પર ફરી ચપ્પુ ચલાવવાની તૈયારી કરી છે. બેન્કના એક મોટા અધિકારી અનુસાર મોંઘવારી દર પણ ઓછો છે એટલા માટે વૃદ્ધોને તકલીફ નહીં થાય. તેમને કદાચ એ ખબર નથી કે દવા અને સારવારનો ખર્ચ કોઈ સરકારી નિયંત્રણમાં નથી અને ઘરમાં મૂલ્ય સૂચકાંક જોઇને નહીં, બાબુજીની વાર્ષિક આવક જોઈને સેવા થાય છે.

દે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2VvEhCx
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here