ગીરગઢડા તાલુકાનાં જામવાળા ગામે રહેતા બે ભાઇઓ આજે ધોકાધાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

ગીરગઢડા તાલુકાનાં જામવાળા ગામે રહેતા બે ભાઇઓ આજે ધોકાધાર


ગીરગઢડા તાલુકાનાં જામવાળા ગામે રહેતા બે ભાઇઓ આજે ધોકાધાર વિસ્તારમાં નદીમાંથી માછલી પકડતા હતા. ત્યારે વનકર્મચારીએ અાવીને ફોટા પાડતાં બંને ભાઇનો ભાગ્યા હતા. પાછળથી એક પથ્થરનો ઘા આવ્યો હતો પછી બંને ભાઇઓ છૂટા પડી ગયા હતા. બાદમાં લાંબા સમય સુધી ભાઇ ઘેર ન આવતાં ગામના 4-5 લોકો શોધવા નિકળ્યા હતા. ગિરગઢડા તાલુકાનાં જામવાળા ગામે રહેતા ભરત પુના બારૈયા (ઉ. 25) અને તેનો ભાઇ ભીખુ હીરા ઘસવાનું કામ કરે છે. આજે હીરામાં રજા હોવાથી તેઓ બપોરે 3 વાગ્યાના અરસામાં જામવાળાના ધોકાધાર વિસ્તારમાં નદીએ માછલી પકડવા ગયા હતા. તેઓ માછલી પડકતા હતા. એ વખતે અચાનકજ વનકર્મી ત્યાં આવી ચઢ્યો હતો. અને બંનેના ફોટા પાડવા લાગ્યો હતો. આથી બંનેને લાગ્યું પોલીસ આવી ગઇ. આથી તેઓ ત્યાંથી ઉભા થઇને ભાગવા લાગ્યા હતા. તેની પાછળ વનકર્મીએ દોટ મૂકી હતી. અને સાથે પથ્થરના ઘા કર્યા હતા. જેમાં એક પથ્થર ભરતને વાગ્યો હતો. બાદમાં ભીખુ અને ભરત બંને છૂટા પડી ગયા હતા. ભીખુ સીધો ઘેર પહોંચ્યો હતો. પરંતુ આશરે 5:30 વાગ્યા સુધી તે ઘેર ન પહોંચતાં તેણે ઘરમાં અને ગામમાં બધાને વાત કરી હતી. આથી ગામનાં 4-5 લોકો નદીએ ભરતને શોધવા ગયા હતા. જ્યાં છીછરા પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી તેને ગામમાં લાવી બાદમાં 108 ને જાણ કરી હતી. અને તેને પીએમ માટે ગિરગઢડા સીએચસી ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની વીગતો મૃતકનાં ભાણેજ સુરેશભાઇએ દિવ્યભાસ્કરને આપી હતી. આમ યુવાનનાં મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33lPFDw
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here