જામનગરવાસીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસના દાગીના,વાહન,ઇલેકટ્રોનીક ઉપકરોણોની ખરીદી કરી શુકન સાચવ્યા હતાં.મંદી અને મોંધવારી ભૂલી લોકો શુકનવંતી ખરીદી કરવા ઉમટી પડતા વેપારીઓને છેલ્લે છેલ્લે ચાંદી ચાંદી થઇ ગઇ હતી.
જામનગરમાં દિપાવલીની ઉજવણી કરવા શહેરીજનો આતુર બન્યા છે.ધનતેરસથી દિપાવલીના તહેવારોનો પ્રારંભ થાય છે.દાયકાઓથી ચાલી આવતી પરંપરા અનુસાર ધનતેરસના કરવામાં આવતી ખરીદીને શુકનવંતી માનવામાં આવે છે.આથી જ ધનતેરસના લોકો દ્રારા મોંધાભાવની જુદી જુદી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે.ચાલુ વર્ષે મંદી અને મોંઘવારીના ભયના કારણે દિવાળીના તહેવારોમાં ખરીદી નીકળશે કે કેમ તે અંગે વેપારીઓ ભારે મૂંઝવણમાં હતાં.પરંતુ ઉત્સવપ્રિય જામનગરવાસીઓએ મંદી અને મોંધવારીને ભૂલી શુક્રવારના ધનતેરસના દાગીના, વાહન, ઇલે.ઉપકરણોની શુકનવંતી ખરીદી કરી હતી.સવારથી જ શહેરના ચાંદીબજાર તેમજ અન્ય વિસ્તારોમાં આવેલા જવેલર્સમાં દાગીનાની ખરીદી કરવા માટે શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતાં.જયારે ઇલેકટ્રીક ઉપકરણો તથા વાહનોના શોરૂમમાં પણ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી.શહેરીજનોએ છેલ્લે છેલ્લે મન મૂકીને ખરીદી કરતાં વેપારીઓને ચાંદી ચાંદી થઇ ગઇ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qE6cVl
via IFTTT
No comments:
Post a Comment