આ દિવાળીએ પોતાના ઘર અને મનને રોશન કરવાની સાથે સાથે સમાજના કેટલાક જરૂરિયાતમંદ લોકોના ઘર પણ જો આપણે રોશન કરી શકીએ તો આ દિવાળી વધુ સાર્થક બનશે.
આપણે સૌ પરિવાર માત્ર કોઈ એક જરૂરિયાતમંદ પરિવારની દિવાળી ઝગમગાવીશું તો કરોડો જરૂરિયાતમંદ પરિવારોની દિવાળી સાર્થક થઈ જશે.
એક આગ્રહ
દિવ્ય ભાસ્કર છેલ્લાં ઘણાં વર્ષોથી સાર્થક દિવાળીની પહેલ કરી રહ્યું છે.
પોતાના કરોડો વાંચકોને હાથ જોડીને નિવેદન છે કે આ દિવાળીએ તમારી આસપાસના કોઈ જરૂરિયાતમંદ લોકોને એવું કંઈ આપો કે જે તેમના ઘરને પણ ઝગમગાવે, તેમના ચહેરા પર ઉમંગ અને દિલમાં ઉત્સવનો ઉત્સાહ ઊભો થાય. આ તમારા માટે સૌથી મૂલ્યવાન અને સૌથી સાર્થક દિવાળી હશે. પરિવારનાં બાળકો સાથે જો તમે આ કરી શકો તો વધુ સારું. કારણ કે નવી પેઢીને સારા સંસ્કાર અને સંતૃષ્ટિ બંને મળશે.
દિવાળી અને તહેવાર આનંદમય નિવડે એ જ શુભેચ્છાઓ...
ભાસ્કર પરિવાર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Wf7pOE
via IFTTT
No comments:
Post a Comment