ઊના તાલુકાનાં એલમપુર ગામે રહેતા કાદુભાઇ નગાભાઇ મકવાણા, તેના ભાઇ નાનજીભાઇ અને તેમના કૌટુંબિકભાઇ અરવિંદભાઇ કરશનભાઇ મકવાણાના ખેતર બાજુબાજુમાં આવેલા છે. ગત તા. 7 જુલાઇ 2017નાં રોજ બપોરે 2 વાગ્યના અરસામાં કાદુભાઇના નાનાભાઇ મનસુખભાઇનો વાછરડો અરવિંદ કરશનના ખેતરમાં જતો રહ્યો હતો. આ બાબતે બન્ને વચ્ચે સામસામી બોલાચાલી થઇ હતી. બીજા દિવસે કાદુભાઇ, નાનજીભાઇ અને તેમના કૌટુંબિક બનેવી ધીરૂ ચીના સોલંકી ત્રણેય એલમપુર ગામે ભૂતડાદાદાના મંદિરે શ્રીફળ વધારવા ગયા હતા. અને ત્યાંથી સવારે 7 વાગ્યે બાઇક પર પરત ગામમાં આવતા હતા. એ વખતે સામથી અરવિંદ કરશન મકવાણા અને તેની પત્નિ લીલા આવતી હતી. એ વખતે અરવિંદે કાદુભાઇને માથામાં લાકડી મારતાં ત્રણેય બાઇક પરથી પડી ગયા હતા. બાદમાં ત્રણેય ઊભા થતાં ધીરૂભાઇ ચિનાભાઇ સોલંકીએ નાનજીભાઇને પકડી રાખ્યા હતા. અને લીલાએ ઘાસના પુળામાં સંતાડી રાખેલી તલવાર કાઢી અરવિંદને આપતાં અરવિંદે નાનજીભાઇની છાતીમાં તલવાર ખોસી દીધી હતી. બનાવ બાદ નાનજીભાઇને હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની કાદુભાઇએ ભાઇની હત્યાની ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ઊના સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે પુરાવા તેમજ સરકારી વકીલ મોહનભાઇ ગોહેલની દલીલોને ધ્યાને રાખી એડીશ્નલ સેશન્સ જજ એસ. એલ. ઠક્કરે મુખ્ય આરોપી અરવિંદ કરશનને આજીવન કેદની સજા અને 5 હજારનો દંડ, અને તેને અરવિંદની પત્નિ લીલાને 3 વર્ષની સાદી કેદની સજા અને અરવિંદના બનેવી ધીરૂ સોલંકીને 2 વર્ષની સાદી કેદની સજા અને બન્નેને 2 હજારનો દંડ કર્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LLMBuG
via IFTTT
No comments:
Post a Comment