પાવાગઢમાં છઠ્ઠા નોરતે 40 હજાર યાત્રિકો ઊમટ્યા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 4, 2019

પાવાગઢમાં છઠ્ઠા નોરતે 40 હજાર યાત્રિકો ઊમટ્યા

પાવાગઢ યાત્રાધામમાં છઠ્ઠા નોરતે 40 હજાર યાત્રાળુઓ દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. મકસુદ મલિક

ભાસ્કર ન્યુઝ | હાલોલ

પાવાગઢમાં આસો માસની નવરાત્રી દરમિયાન છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા છઠ્ઠા નોરતે ચાલી હજાર થી વધુ યાત્રાળુઓએ માના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી તો બીજી તરફ છેલ્લા ચાર દિવસથી પાવાગઢમાં વાદળ છાયા વાતાવરણ સાથે વરસાદ વરસતા યાત્રાળુઓની પાંખી હાજરીને લઇ નાના મોટા વેપારીઓમાં નિરાશા છવાઈ ગઈ હતી જો કે બે દિવસથી ઉઘાડ નીકળતા યાત્રાળુઓનો ધસારો વધતા વેપારીઓના જીવમાં જીવ આવ્યો હતો. તો બીજી તરફ મંદિરના નિજદ્વાર સવાારે ચાર વાગે ખોલી દેવાતા ભક્તોએ મોટી સંખ્યામાં માઇ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો, બસ સ્ટેશનની સામે ભગવતી સેવા ટ્રસ્ટ દવારા યાત્રાળુઓ માટે વિસામાનું આયોજન કરાયું હતું વિસામાંમાં હજારો ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરાઈ હતી. પહેલા નોરતા સુધી તો ભારે વરસાદને પગલે નવરાત્રીના રંગમાં ભંગ પડે તેવી ભારોભાર શક્યતાઓ બની હતી અને યાત્રાળુઓ દર્શાનાર્થે આવતા પણ ડરતા હતા પરંતુ નોરતા આગળ વધતા આ આશંકા દૂર થઇ ગઇ હતી અને વરસાદે વિરામ લેતાં યાત્રિકોનો પ્રવાહ સામાન્ય બની ગયો હતો અને છઠ્ઠા નોરતે 40,000 માઇ ભક્તો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - in pavagadh 40000 pilgrims landed on the sixth norte 063528


from Divya Bhaskar https://ift.tt/30T7CYM
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here