રાત્રે ખુલ્લા આકાશમાં મૂકેલા ખીર-પૌંઆ રોગો નિવારે છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 12, 2019

રાત્રે ખુલ્લા આકાશમાં મૂકેલા ખીર-પૌંઆ રોગો નિવારે છે

આસો સુદ પૂનમને તારીખ 13 ઓક્ટોબરને રવિવારે શરદપૂનમ છે. આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ શારદીય નવરાત્રિનો તહેવાર પૂર્ણ થયા બાદ આવતો મહત્ત્વનો તહેવાર એટલે શરદપૂર્ણિમા શરદપૂનમને કોજાગરી પૂનમ, માણેકકઠારી શરદપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શરદપૂનમની રાત્રે દૂધ પૌંઆ ખાવા પાછળનું મહત્ત્વ પણ આયુર્વેદ આધારિત જ છે. શાસ્ત્રી રાજદીપ જોષી અને ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઇ ઠક્કર જણાવે છે કે, શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમા સોળે કળાઓથી સંપન્ન થઈને અમૃત વર્ષા કરે છે. તેથી આ રાત્રે ખીર-પૌંઆને ખુલ્લા આકાશમાં મુકવામાં આવે છે અને સવારે તેને પ્રસાદના રૂપમાં ખાવામાં આવે છે. આજના દિવસે દૂધ પૌંઆ કે ખીર મધરાત પછી ખાવાથી માનસિક શાંતિ, પેટને લગતા રોગ, એસીડીટી, હૃદયરોગ વગેરેમાં ફાયદાકારક ગણાય છે. જ્યારે બીજી બાજુ આ વખતે શરદપૂનમના દિવસે અતિશય શુભ યોગ બની રહ્યો છે. શરદપૂનમે ચંદ્ર અને મંગળ એકબીજા સાથે દૃષ્ટિ સંબંધ બનાવશે જેના કારણે અતિશય શુભ મહાલક્ષ્મી યોગ બનશે. શાસ્ત્રો મુજબ આ દિવસે જો અનુષ્ઠાન કરવામાં આવે તો આ જરૂર સફળ થાય છે.

આ રહ્યા શરદપૂનમના પ્રાચીન, ધાર્મિક અને વૈજ્ઞાનિક તથ્ય

પ્રાચીન માન્યતા | શ્રીકૃષ્ણની મહારાસ લીલા શરદપૂનમે હતી

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, શરદપૂર્ણિમાની ચાંદની રાત્રે શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે અદભુત રાસલીલા રચી હતી. આથી શરદપૂનમે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનું પણ મહત્ત્વ વધારે છે.

મહાત્મ્ય | વર્ષમાં ચાર મહારાત્રીમાં શરદપૂનમ શ્રેષ્ઠ

કાલરાત્રિ એટલે કાળીચૌદશ,મહારાત્રી એટલે મહાશિવરાત્રિ, મોહરાત્રિ એટલે શરદપૂનમ અને દારુણરાત્રિ એટલે હોળીની રાત્રિ પૈકી શરદપૂનમ શ્રેષ્ઠ છે.

જ્યોતિષ | ચંદ્ર નબળો હોય તો આજે પૂજા કરવી લાભદાયી

જ્યોતિષ શાસ્ત્ર દર્શાવે છે કે, જે લોકોને ચંદ્ર નબળો હોય અથવા ગ્રહણયોગ કે વિષયોગમાં જન્મ થયો હોય તો શરદપૂનમના દિવસે ચંદ્રના જપ, પૂજન-અર્ચન કરવાથી રાહત મળે છે.

વૈજ્ઞાનિક મહત્ત્વ | આજે ચંદ્ર પૃથ્વીની સૌથી નિકટ આવશે

ચંદ્રમા આજે ધરતીની નિકટ હશે. ચંદ્ર પ્રકાશના રાસાયણિક તત્ત્વ સીધા ખાવા પીવાની વસ્તુઓ પર પડે છે. જેનાથી પોષક તત્ત્વ ખાદ્યપદાર્થમાં ભળી જાય છે જે આરોગ્ય માટે અનુકૂળ હોય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/35oruGB
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here