અમરેલી જીલ્લામાં એક સમયે 1600થી વધુ કારખાના ધમધમતા હતાં. અને તેમાં 60 હજારથી વધુ રત્ન કલાકારો રોજીરોટી મેળવતા હતાં પરંતુ પાછલા વર્ષોની મંદીમાં અનેક કારખાના બંધ થઇ ગયા. અને હાલની મંદીના કારણે મોટાભાગના કારખાનામાં દિવાળીનું વેકેશન વહેલુ પડી ગયું છે. જે મોટા ખાતાના કારખાના છે તે હાલમાં ચાલુ છે. પરંતુ આ કારખાનાઓમાં પણ કામ તો રાબેતા મુજબના શેડ્યુલમાં જ ચાલી રહ્યું છે. અહીં કોઇ વધારાની પાળી ચલાવવામાં આવી રહી નથી. ન તો મોડી રાત સુધી કારખાના ધમધમે છે કે ન તો વહેલી સવારથી જ ચાલુ થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MCypo9
via IFTTT
No comments:
Post a Comment