ભરૂચમાં નેશનલ હાઈ-વે પર બીજા દિવસે પણ ટ્રાફિક જામ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

ભરૂચમાં નેશનલ હાઈ-વે પર બીજા દિવસે પણ ટ્રાફિક જામ

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર વરેડિયા પાસે આવેલો ભૂખી ખાડી ઉપરના બ્રિજનું બે દિવસથી સમારામ ચાલી રહ્યું છે. પ્રથમ દિવસે કરેલી કામગીરીનાં અંતે થોડું મરામત કાર્ય થતાં એક ટ્રેક ચાલુ કરવામાં આવ્યો હતો. જોકે ભારદારી વાહનોને પસાર થવા માટે આ બ્રીજનો રસ્તો સાંકડો પડતાં ટ્રાફિકની સમસ્યા બીજા દિવસે પણ યથાવત રહી હતી. તો કેટલાંક લોકોએ ટ્રાફિકથી બચવા માટે ગામડાના રસ્તાઓને અપનવ્યા હતા.

નેશનલ હાઈવે પર આવેલી ભૂખી ખાડીનો બ્રીજ અત્યંત જર્જરિત બની ગયો હોય ભરૂચ વડોદરા ટોલવે લિમિટેડ દ્વારા ત્રણ દિવસ માટે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. મંગળવારથી શરૂ થયેલી કામગીરીના પગલે વાહન વ્યવહાર એક તરફ ડાયવર્ટ કરવામાં આવતાં ભરૂચ તરફનાં માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. બીજા દિવસે પણ કામગીરી ચાલુ રહેતાં બ્રીજનો એક પટ્ટો શરૂ કરવામાં આવતાં ટ્રાફિકમાં અંશતઃ ઘટાડો થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2OWbRAi
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here