પોરબંદર નજીક આવેલ વર્તુ નદી પર 60 વર્ષ જુનો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 9, 2019

પોરબંદર નજીક આવેલ વર્તુ નદી પર 60 વર્ષ જુનો


પોરબંદર નજીક આવેલ વર્તુ નદી પર 60 વર્ષ જુનો પુલ બિસ્માર બની ગયો હોવા છતા જવાબદાર તંત્ર દ્રારા પુલના સમારકામ માટે કોઇ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી ન હોવાથી તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.પોરબંદરના બરડા પંથકમાં વર્તુ નદી પસાર થઇ રહી છે. નદી પર દાયકો પહેલા પુલ બાંધવામાં આવ્યો હતો. પરંતુ હાલ આ પુલ બિસ્માર બની ગયો છે. નદી પર સોઢાણાથી મજીવાણા ગામ વચ્ચે રાજાશાહી વખતનો વર્ષો જુનો પુલ બિસ્માર બન્યો હોવાના કારણે ભારે વાહન ચાલકો પણ આ પુલ પરથી પસાર થવામાં ભય અનુભવી રહયા છે. માલણકા નજીક પુલ ધારાશાઇ થતા 4 કાર નીચે ખાબકયાની ગંભીર દુર્ઘટના જેવી જ દુર્ઘટના જો વર્તુ નદીના પુલ પર સર્જાશે તો તે જીવલેણ સાબિત થઇ શકે તેવી દહેશત વાહન ચાલકોમાં અનુભવાઇ રહી છે. જર્જરીત બનેલા પુલની હાલની સ્થિતી આવી જ કોઇ ગંભીર દુર્ઘટનાની આશંકા સર્જી રહી છે. પોરબંદરથી ખંભાળીયા તરફ જતા હાઇવે પર દિવસ અને રાત્રીના સમયે પણ અનેક વાહન ચાલકો પસાર થઇ રહયા છે. આ પુલમાં મસમોટા ગાબડા પડી ગયા છે. ત્યારે અહીંથી ભારે વાહનો પસાર થતા હોવા છતાં તંત્ર દ્રારા પુલના સમારકામ માટે કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/30Vgq08
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here