લોકસભામાં હારેલા 50 પૂર્વ સાંસદે 5 મહિના પછી પણ બંગલા નથી છોડ્યા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 6, 2019

લોકસભામાં હારેલા 50 પૂર્વ સાંસદે 5 મહિના પછી પણ બંગલા નથી છોડ્યા


લોકસભા ચૂંટણીમાં હારેલા અંદાજે 50 પૂર્વ સાંસદે 5 મહિના પછી પણ સરકારી બંગલા ખાલી નથી કર્યા. આ બંગલા દિલ્હીના લ્યુટન્સ વિસ્તારમાં છે. સૂત્રોના કહેવા મુજબ આ સાંસદો વિરુદ્ધ સરકાર સુધારેલા જાહેર પરિસર (ગેરકાયદે કબજા વિરોધી) કાયદા હેઠળ કાર્યવાહી કરવા વિચારી રહી છે. સુધારેલા કાયદામાં સરકારને એ અધિકાર મળી ગયો છે કે તે કબજેદારો પાસેથી 3 દિવસમાં જવાબ માગી શકે છે તેમ જ કડકાઇ દાખવીને બંગલો ખાલી કરાવી શકે છે. 19 ઓગસ્ટે લોકસભાની સી. આર. પાટિલના નેતૃત્વ હેઠળની આવાસ સમિતિએ અંદાજે 200 પૂર્વ સાંસદને બંગલા એક અઠવાડિયામાં ખાલી કરવા આદેશ કર્યો હતો. તેમ ન કરે તો બંગલાના વીજળી, પાણી અને રાંધણગેસના કનેક્શન કાપી નાખવાની ચેતવણી પણ આપી હતી. નિયમાનુસાર પૂર્વ સાંસદોએ લોકસભા વિસર્જિત થયાના 1 મહિનામાં બંગલો ખાલી કરવાનો હોય છે. ઘણા બંગલામાં તો ક્યાંક નોકર તો ક્યાંક અમલદારો રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2oTx3vZ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here