કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું- અમને પિચની નથી પડી, બોલર્સ કોઈ પણ પિચ પર 20 વિકેટ લેવા માટે સક્ષમ
ઘરઆંગણે સતત 11મી સીરિઝ જીત્યા બાદ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે,‘પિચની અમને જરાય પડી નથી. અમારા બોલર્સ કોઈપણ પિચ પર 20 વિકેટ લેવા માટે સક્ષમ છે. તે મુંબઈ, ઓકલેન્ડ, મેલબોર્ન કે પછી ગમે તે સ્થળ કે પિચ હોય. અમારું એક જ ટાર્ગેટ રહે છે. દરેક મેચમાં 20 વિકેટ કેવી રીતે ઝડપવી. જો તે પછી અમારી બેટિંગ ચાલે તો ટીમ ફરારીની જેમ દોડવા લાગે છે.’ નદીમ અંગે શાસ્ત્રીએ કહ્યું કે,‘તે સ્થાનિક ક્રિકેટમાં 400થી વધુ વિકેટ ઝડપી ચૂક્યો છે. તેની પર જરાય દબાણ નહોતું. તેણે પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા છે.’ તેમણે આગળ કહ્યું કે-‘અગાઉ કોઈપણ સીરિઝમાં 1-2 સ્ટાર પર્ફોર્મર મળતા પરંતુ આજે આવા 6-7 ખેલાડીઓ જોવા મળે છે. કેપ્ટન પછી બેટ્સમેન- બોલર્સ મળીને જીત અપાવી રહ્યાં છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35QjD4G
via IFTTT
No comments:
Post a Comment