નવી દિલ્હી: જજોની નિયુક્તિના મુદ્દે કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થયું છે. કોલેજિયમે કર્ણાટક હાઈકોર્ટમાં 4 વકીલને જજ તરીકે નિયુક્ત કરવાનું સૂચન ફરી કેન્દ્રને મોકલ્યું છે. કેન્દ્રે કોલેજિયમનું આ સૂચન ફગાવી દીધું હતું. જે ચાર વકીલને જજ બનાવવાની ભલામણ કરાઈ હતી, તેમાં એક પર લેન્ડ માફિયા અને અન્ડરવર્લ્ડ સાથે સાંઠગાંઠના આરોપ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતા કોલેજિયમે ચારેય વકીલના નામ પાછા ખેંચવાનો કેન્દ્રનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ પહેલા કોલેજિયમે કર્ણાટક હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવા કેન્દ્રને આઠ વકીલના નામ મોકલ્યા હતા. સરકારે તેમાંથી ચાર નામ સ્વીકાર્યા હતા, પરંતુ બીજા ચાર નામને લીલી ઝંડી નહોતી આપી. જે ચાર વકીલના નામ કોલેજિયમને પાછા મોકલાયા હતા, તેમાં સવાનુર વિશ્વજીત શેટ્ટી મારાલુર ઈન્દ્રકુમાર અરુણ, મોહમ્મદ ઘોસ શુકુરે કમલ અને એંગલગુપ્પે સીતારામૈયા ઈન્દિરેશનું નામ છે.
કેન્દ્ર સરકારે વકીલોના નામ પાછા કેમ મોકલ્યા?
કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે, શેટ્ટી વિરુદ્ધ ફરિયાદ છે કે, તેઓ લેન્ડ માફિયા અને અન્ડરવર્લ્ડ સાથે સાંઠગાંઠ ધરાવે છે, જે ખંડણીના કેસમાં સામેલ છે. એમઆઈ અરુણની કારકિર્દી પણ બેદાગ અને પારદર્શક નથી. જોકે, કોલેજિયમનું કહેવું છે કે, શેટ્ટી અને અરુણ વિરુદ્ધ આરોપોની પુષ્ટિ થઈ નથી.
અગાઉ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ કુરેશીની નિયુક્તિની ભલામણ પણ ફગાવાઈ હતી
અગાઉ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એએ કુરેશીને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાનું કોલેજિયમની ભલામણ કેન્દ્રએ પાછી મોકલી હતી. બાદમાં તેમને ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા હતા. જસ્ટિસ કેએમ જોસેફના નામે પણ કેન્દ્ર અને કોલેજિયમમાં ઘર્ષણ થયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Meuyw8
via
IFTTT
No comments:
Post a Comment