
31મી ઓક્ટોબરે સરદાર જયંતીની સાથે 182 મીટરની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષ પણ થશે. કેવડિયા વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસી રહ્યું છે. સ્ટેચ્યૂના લોકાર્પણ બાદ એક જ વર્ષના સમયગાળામાં 25 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. પ્રતિ દિવસ સરેરાશ 8500 પ્રવાસીઓ આવે છે. 30થી વધુ નવાં આકર્ષણો ઉમેરાતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવરની સાથે અન્ય સ્થળો પણ જોઇ શકાય છે. દર મહિને 5થી 6 લાખ પ્રવાસીઓ મુલાકાતે અાવશે એવો અંદાજ છે. 31મીએ વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે 30થી વધુ વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. દર વર્ષે સ્ટેચ્યૂ ઓફ યુનિટી થકી 15000 લોકોને રોજગારીનો અંદાજ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32Szuhk
via
IFTTT
No comments:
Post a Comment