
બરવાળા ભાસ્કર | શ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર 24ના વિદ્યાર્થીઓએ તા.23ના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ 2019માં યોજાયેલી સ્પર્ધામાં જિલ્લાકક્ષાની લઘુ સંશોધનનો વિષય વ્યસનમુક્તિ હતો. જેના ગ્રુપ લીડર કૃપાલીબેન અશોકભાઈ ઘાટલિયા હતા અને બીજો લઘુ સંશોધન વિષય બોટાદની ટ્રાફિક સમસ્યા હતો જેના ગ્રુપ લીડર તરીકે મનિષાબેન ધલવાણિયા હતા. આ બંનેના ગાઈડ ટીચર એન. એન. નુરાનીએ સેવા આપી હતી. સતત બીજીવાર જિલ્લાકક્ષાએ વિજેતા બનનાર કૃપાલી અશોકભાઈ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pYxsgT
via
IFTTT
No comments:
Post a Comment