જોકે, અમે દસ દિવસ પહેલા સંપર્ક કરવાનો પ્રયાસ બંધ કર્યો હતો કારણ કે, ચંદ્ર પર લાંબી રાત શરૂ થઈ ગઈ છે. થોડા દિવસમાં ત્યાં રાત પૂરી થશે. ત્યારે અમે લેન્ડરનો ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. ચંદ્રયાન-2ના લોન્ચિંગ પહેલા ઈસરોએ જાણકારી આપી હતી કે, લેન્ડર અને રોવરની મિશન લાઈફ એક ચંદ્ર દિવસ બરાબર છે, જે ધરતીના 14 દિવસ બરાબર છે.
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, આટલા દિવસ પછી લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવો ઘણો મુશ્કેલ હશે.
ઈસરોના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું છે કે, આટલા દિવસ પછી તેનો સંપર્ક કરવો મુશ્કેલ હશે, પરંતુ પ્રયાસ કરવામાં કશું ખોટું નથી. સાતમી ડિસેમ્બરે લેન્ડર વિક્રમ લેન્ડિંગની અંતિમ ક્ષણોમાં જ લથડી ગયું હતું. ત્યાર પછી તેનો સંપર્ક નહોતો થઈ શક્યો.
રોવર પ્રજ્ઞાન હજુ પણ લેન્ડરની અંદર જ છે. ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગના થોડી મિનિટ પહેલા જ વિક્રમનો સંપર્ક તૂટી ગયો હતો. નાસાએ પણ બીજી વાર પ્રયાસ કરવાની વાત કરી છે. આ પહેલા તેમણે ઓર્બિટર થકી સંપર્કનો પ્રયાસ કર્યો હતો.
ઠંડી અને ભૂકંપના આંચકા લેન્ડર માટે સૌથી મોટો પડકાર, નુકસાનની શક્યતા
ઈસરોના એક અધિકારીના કહેવા પ્રમાણે, ચંદ્ર પર રાત્રે લેન્ડરને મુશ્કેલી પડશે. એ સમયે ત્યાં ઘણી ઠંડી હશે. આ ઉપરાંત ત્યાં આવતા ભૂકંપના આંચકા પણ ચિંતા વધારી રહ્યા છે. વિક્રમ ખૂબ જોરથી સપાટી પર ટકરાયું છે, તેનાથી લેન્ડરને ઘણું નુકસાન થયું હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ohPES6
via IFTTT
No comments:
Post a Comment