
સ્પંદનના વી.પી ભરત દેસાઇએ વધુમાં જણાવ્યું કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ વર્ષે દિવાળીમાં રોશની કરવા માટે 20 હજાર મીણના દિવડા તૈયાર કરવામાં આવ્યા છે.દિવાળી ટાણે દિવડા તૈયાર થાય તે માટેની પુર્વ તૈયારી જુન માસથી શરૂ કરી દેવામાં આવી હતી.ચાલુ વર્ષે 450 કિલો વેક્સ માંથી 20 દિવ્યાંગો દ્વારા 20 હજારથી વધારે દિવડા તૈયાર કરાયા છે.પતરાની ડબ્બીમાં તૈયાર કરાયેલા દિવડામાં ત્રણ ફુલોની સુગંઘ પણ ઉમેરવામાં આવી છે.હાલ સંસ્થામાં 68 દિવ્યાંક છોકરા-છોકરીઓ તાલીમ મેળવી દિવડા અને ફાઇલ બનાવવાની કામગીરીમાં જાડાયેલા છે.
નાણાં દિવ્યાંગને સ્ટાયફંડ પેટે ચૂકવાય છે
દિવ્યાંગ બાળકોને પગભર કરવા માટે સંસ્થામાં વોકેશનલ ટ્રેઇનીંગ સેન્ટરમાં તાલીમ અપાય છે.તેના વેચાણમાંથી ભેગું થયેલું ભંડોળ દિવ્યાંગોને સ્ટાયફંડ પેટે ચુકવવામાં અાવે છે.
પગભર થવા માટે તાલીમ અપાય
સ્પંદનના ટ્રસ્ટી સંગીતા શેઠે જણાવ્યું કે, બાળક સ્કુલમાં દાખલ થાય ત્યારથી તેની ક્ષમતા ચકાસીને તેને વિકસાવવા માટેની દિશામાં તેને તાલીમ અપાય છે.બાળકોને પગભર કરવા માટે સંસ્થા કામ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/316MQVE
via IFTTT
No comments:
Post a Comment