સરકારનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સસ્તી વીજળી આપવાનોઃ ઊર્જામંત્રી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 11, 2019

સરકારનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સસ્તી વીજળી આપવાનોઃ ઊર્જામંત્રી

દેશભરમાં ઊર્જા ક્ષેત્રે થયેલા નવતર આયામોનું મનોમંથન કરવા માટે કેવડિયા સ્થિત નર્મદા ટેન્ટ સીટી ખાતે રાષ્ટ્રીય કક્ષાની બે દિવસીય ઊર્જા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ તબક્કે કેન્દ્રિય ઊર્જા મંત્રી આર.કે. સિંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સસ્તાદરે અને જરૂરિયાત પ્રમાણે વીજળી પુરી પાડવાનો છે. સોલાર પાવર અને વિન્ડ પાવર દ્વારા વીજળી વધારવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યોનાં તમામ વિસ્તારોને પુરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે મેક ઈન ઈન્ડિયાના વિઝનને સફળ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં વીજળી ઉત્પાદન કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ ચાર ડિસ્કોમ્સ નફો કરી રહી છે. જે ઉલ્લેખનીય બાબત છે. ગુજરાતનાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, દેશના તમામ રાજ્યોની ડિસ્કોમ્સ-વીજ વિતરણ કંપનીઓમાં સન 17-18 ના વર્ષમાં પ્રથમ ચાર કેટેગરમીમાં અગ્ર સ્થાન હાંસલ કરી ગુજરાતની ડિસ્કોમ્સે રાજ્યને ગૌરવ અપાવ્યું છે.

આ બે દિવસી કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોમાં ઉર્જાને લગતા તથા પુનઃપ્રાપ્ય ઊર્જા (રીન્યુએબલ એનર્જી), પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણ, સોલાર રૂફટોપ, સરહદી વિસ્તારોમાં રીન્યુએબલ એનર્જીના વિકાસ કાર્યક્રમો, અલ્ટ્રા મેગા રીન્યુએબલ એનર્જી પાર્કસની સ્થાપના સંદર્ભે, ઈઝ-ઓફ-ડુઈંગ બીઝનેશ અંતર્ગત સોલાર અને વિન્ડ પાવર સંદર્ભે હાથ ધરાનાર વિવિધ પ્રોજેકટ સંદર્ભે જમીન ફાળવણી સહિતના આનુસાંગિક કામો તથા રેગ્યુલેટરી ઈશ્યુ સંદર્ભે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ઊર્જા ક્ષેત્રે થયેલા નવતર આયામોનું મનોમંથન કરવા માટે કેવડિયા સ્થિત નર્મદા ટેન્ટ સીટી ખાતે રાષ્ટ્રીય કક્ષાની બે દિવસીય ઊર્જા કોન્ફરન્સનું આયોજન કરાયું છે.

કાશ્મીર અને લેહ લદ્દાખ પર ફોકસ

હાલમાં જ કાશમીર, લેહ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા છે. હાલ ઊર્જા વિભાગની ટીમોએ સર્વે કરતાં કેટલાય ગામો વીજ વિહોણા જણાયા છે. જેને લઈને હવે આ વિસ્તારોમાં વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. ગ્રીડ લાઈન ખેંચી આ બોર્ડના ગામેગામ વીજળી પહોંચે અને 24 કલાક વીજળી મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ.

ગુજરાતના ડિસ્કોમ્સ અગ્રેસર

દર વર્ષે કેન્દ્ર સરકાર રાજ્યોના ડિસ્કોમ્સની કામગીરીને નાણાકીય વ્યવસ્થાપન,સક્ષમ પ્રબંધન સહિતના વિવિધ માપદંડોને આધારે રેન્કિંગ આપે છે. ગુજરાતના ડિસ્કોમ્સ તેમાં હંમેશા અગ્રેસર રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the main objective of the government is to provide cheap electricity to the farmers energy minister 064108


from Divya Bhaskar https://ift.tt/33pD1U9
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here