સિદ્ધહસ્ત ઇતિહાસકાર : હરિપ્રસાદ શાસ્ત્રી (1919- 2014) - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

સિદ્ધહસ્ત ઇતિહાસકાર : હરિપ્રસાદ શાસ્ત્રી (1919- 2014)

આજે ભાષાવિદ્ કેશવ હર્ષદ ધ્રુવ, અભિનેત્રી સ્મિતા પાટિલ, અમેરિકી નાટ્યકાર આર્થર મિલર, સામ્યવાદી નેતા-વિચારક દિનકર મહેતા અને સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીનો જન્મદિવસ છે. પેટલાદ તાલુકાના મલાતજ ગામે જન્મેલા શાસ્ત્રીજી સંસ્કૃત સાહિત્ય, અભિલેખો અને ઈતિહાસમાં સવિશેષ રુચિ ધરાવતા હતા. સખ્ત વાંચન, ચિંતન અને સંશોધન પછી તેમણે મૈત્રકકાલીન ગુજરાત, ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ, ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાધનસામગ્રી, ઇતિહાસના સાધન તરીકે ગુજરાતના અભિલેખ, એ હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ સ્ટડી ઓફ દિ ઇન્સ્ક્રીપ્શન ઓફ ગુજરાત, ઇતિહાસની આરસીમાં ચરોતરનું પ્રતિબિંબ, અધ્યયન અને સશોધન જેવા પુસ્તકો લખ્યા છે. સ્વતંત્ર પુસ્તકો, સંપાદનો ઉપરાંત તેમણે ગુજરાતના ઈતિહાસ લેખનને દિશા આપતા 800થી વધુ લેખો પણ લખ્યા છે. હરિપ્રસાદ શાસ્ત્રીના સંશોધનકાર્યનું નર્મદ ચંદ્રક, કુમાર ચંદ્રક, હરિદાસ ગોકાણી સુવર્ણ ચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદના ઈતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ, ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના ઈતિહાસ વિભાગના પ્રમુખ, મહામહોપાધ્યાયની ઉપાધિ વગેરે થકી સન્માન થયું છે. 9 ઓગસ્ટ 2014ના રોજ તેમનું અવસાન થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - successful historian hariprasad shastri 1919 2014 062625


from Divya Bhaskar https://ift.tt/2P47BPt
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here