
મોરબીમાં મુસ્તાક મીરની સરાજાહેર હત્યા તેમજ તેના ભાઈ આરીફ મીરને મારવા માટે ભાડુતી મારા મોક્લાવનારા હિતેન્દ્રસિંહ ઝાલાને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોરબીની કોર્ટમાં લવાતો હતો ત્યારે ધ્રાંગધ્રા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. તેને પકડવા માટે જુદીજુદી દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે, ત્યારે મોરબી એ.ડીવી. પોલીસ દ્વારા હિતુભાના ઘરે તપાસ કરવામાં આવી હતી. ત્યારે હિતુભા ઝાલા તો તેના ઘરેથી મળી આવ્યો ન હતો જો કે તેના ઘરમાંથી 18 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. આથી હિતુભાના બે સગા ભાઈઓની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં મોરબીમાં ત્રણ વર્ષ પહેલા હિસ્ટ્રીશીટર મુસ્તાક મીરની હિતેન્દ્રસિંહ ઝાલાએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. જે ગુનામાં પકડાયેલા હિતેન્દ્રસિંહ ઝાલા પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો. આ દરમિયાન કાલીકા પ્લોટમાં રહેતા મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર ઉપર શાર્પ શૂટરના હાથે હિતેન્દ્રસિંહ ઝાલાએ જીવલેણ હુમલો પણ કર્યો હતો અને તેમાં એક 13 વર્ષના બાળકનું મોત થયું હતું. ઘટના બાદ લાંબા સમય સુધી ફરાર રહેલાં હિતેન્દ્રસિંહ ઝાલાની અન્ય બે શખ્સ સાથે એટીએસ દ્વારા હથિયાર સાથે અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સાબરમતી જેલમાં મોકલી દેવાયો હતો. જયાંથી બે દિવસ પહેલા તેને સાબરમતી જેલનૉ સ્ટાફ મોરબી લઈને આવતો હતો ત્યારે ધ્રાંગધ્રા પાસે ઓનેસ્ટ હોટેલથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પી.એસ.આઈ. કોન્સ્ટેબલ, હિતુભા સહીત કુલ મળીને સાત શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જે કેસમાં હાલમાં પી.એસ.આઈ. સહિતના ચાર પોલીસ કર્મચારી અને જે ગાડીમાં હિતુભા ભાગી ગયો હતો તે ગાડીના ડ્રાઈવરની ગાડી સાથે ધરપકડ કરાઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35IoZig
via
IFTTT
No comments:
Post a Comment