
આજે આઝાદીના લડવૈયા, કુશળ બેરિસ્ટર તથા કુમુદલાલ ગાંગુલી ઉર્ફે અશોકકુમાર, ભુલાભાઈ દેસાઈ અને ઈશ્વરનો ઇનકાર પુસ્તકના લેખક નરસિંહભાઈ પટેલનો જન્મદિવસ તથા અભિનેત્રી નિરૂપારોય, ગાયક કિશોરકુમાર અને રતિલાલ ચંદરિયાની પુણ્યતિથિ છે. ભુલાભાઈ દેસાઈનો જન્મ વલસાડના ભદેલી ખાતે થયો હતો, ભુલાભાઈ પહેલા માતા-પિતાના બધા સંતાનો મૃત્યુ પામ્યા હોવાથી દાદીએ આ બાળક આગળના તમામ બાળકોના મૃત્યુને ભુલાવી દેશે તેમ માની તેનું નામ ભૂલો રાખ્યું હતું. વકીલ પિતાના આ પુત્રએ શિક્ષણ વલસાડ અને મુંબઈ અને અમદાવાદથી લીધું હતું. મુંબઈની એલ્ફીન્સન્ટ કોલેજથી ઇતિહાસ અને ન્યાયશાસ્ત્ર સાથે 1897માં સ્નાતક થયા હતા. 1899માં ગુજરાત કોલેજ અમદાવાદથી અનુસ્નાતક થઇ કોલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે જોડાયા હતા. તે પછી એલએલબી થઇ વકીલાત શરૂ કરી. રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં ભુલાભાઈ હોમરૂલ આંદોલનથી સક્રિય થયેલા ભુલાભાઈએ બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલના સુચનથી ખેડૂતોની કહાણી રજૂ કરી અને ભારતના રાજકીય વર્તુળોમાં જાણીતા બન્યા હતા. 1932માં સવિનય કાનુનભંગ નિમિત્તે તેઓ 2 વર્ષ જેલમાં રહ્યા હતા. 6 મે 1946ના રોજ તેમનું અવસાન થયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2B5thlI
via
IFTTT
No comments:
Post a Comment