
બૈતૂલ | મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લામાં રહેતા કુંજીલાલે વર્ષ 2005ની 20 ઓક્ટોબરે તેમના મોતની ભવિષ્યવાણી કરી હતી પણ ભવિષ્યવાણીના 14 વર્ષ 6 દિવસ બાદ શનિવારે તેમનું નિધન થયું. ભવિષ્યવાણીના કારણે મશહૂર થયેલા કુંજીલાલે કહ્યું હતું કે તેમનું મોત કરવા ચોથના દિવસે થશે પણ તેમનું મોત ન થયું તો તર્ક અપાયો કે કરવા ચોથ પર તેમના પત્નીએ તેમની લાંબી ઉંમરની પ્રાર્થના કરી હોવાથી તેમનું મોત ન થયું. કુંજીલાલની આ કહાણી પર બાદમાં તેમના ગામ સેહરાની નજીકના ગામ પિપલાના નામ પરથી ‘પીપલી લાઇવ’ ફિલ્મ પણ બની હતી. તેમાં દેવાંથી પરેશાન ખેડૂત નત્થાએ પોતાના જ મોતની ભવિષ્યવાણી કરી હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ કુંજીલાલે ફિલ્મના નિર્માતા આમિર ખાન અને દિગ્દર્શક અનુષા રિઝવીને નોટિસ પાઠવીને પોતાની કહાણી પરથી ફિલ્મ બનાવવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32RYBRp
via
IFTTT
No comments:
Post a Comment