એજન્સી | નવી દિલ્હી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના દિવાળી સંદેશમાં મોદી સરકારને રાજધર્મની યાદ અપાવી હતી. સરકાર પર પ્રહાર કરતાં સોનિયાએ ખાસ કરીને ખેડૂતોની વર્તમાન સ્થિતિ અંગે સવાલો ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે સરકારની ખેડૂતવિરોધી નીતિઓને કારણે દેશના ખેડૂતો આ દિવાળીને કાળી દિવાળી તરીકે મનાવવા મજબૂર છે. સરકારને લીધે ખેડૂતોને તેમના પાક માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા ન્યૂનતમ સમર્થન મૂલ્ય પણ નથી મળી શક્યું. તમને જણાવી દઈએ કે આ એ રકમ છે જેના પર સરકાર ખેડૂતોથી પાક ખરીદે છે. સોનિયા ગાંધીએ મોદી સરકારને ગત વર્ષે તેમના દ્વારા કરાયેલા વાયદાની યાદ અપાવી જેમાં તેમણે ખેડૂતોને 50 ટકાથી વધુ ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપવાની વાત કહી હતી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આજની સ્થિતિ એ છે કે ખેડૂતોએ પોતાનો ખરીફ પાક સરકાર દ્વારા નક્કી ન્યૂનતમ સમર્થન મૂલ્યથી 22.5 ટકા ઓછી કિંમતે વેચવો પડી રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Wjwvfj
via IFTTT
No comments:
Post a Comment