
નવી દિલ્હી | પગાર અને પ્રમોશન મુદ્દે નારાજ એરઈન્ડિયાના 120થી વધુ પાઈલટોએ સામૂહિકરૂપે રાજીનામા આપી દીધાં હતાં. એરબેસ એ-320ના 120 પાઇલટે પગાર અને પ્રમોશન મુદ્દે કેટલીક માગો રજૂ કરી હતી અને તે પૂરી ન થતાં મેનેજમેન્ટને રાજીનામા સોંપી દીધા હતા. આ કેન્દ્ર સરકાર દ્વારા 60 હજાર કરોડ રૂપિયાની વધુના દેવામાં ફસાયેલી સરકારી ઉડ્ડયન કંપનીની ભાગીદારી વેચવાની પ્રક્રિયા શરૂ કરવાના નિર્ણય બાદ થયું હતું. તાજેતરમાં રાજીનામુ આપનારા એક પાઈલટે જણાવ્યું હતું કે એર ઈન્ડિયા મેનેજમેન્ટે અમારી ફરિયાદો સાંભળવી જોઈએ. પગારમાં વધારો અને પ્રમોશન મુદ્દે અમારી માગણીઓ ઘણાં દિવસથી પેન્ડિંગ હતી પણ તે અમને આશ્વાસન આપવામાં પણ નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું કે અમને સમયસર પગાર પણ મળતો નથી. એ પણ કહ્યું કે પાઈલટને પહેલા 5 વર્ષ માટે કરાર પર ઓછા પગારે રખાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32dWiYA
via
IFTTT
No comments:
Post a Comment