
મા દુર્ગાની આરાધનાના મહાપર્વ શારદીય નવરાત્રિનો રવિવારે ઘટ સ્થાપના સાથે પ્રારંભ થયો છે. પવિત્ર નવરાત્રિના પહેલા દિવસે જ રવિવાર હોઇ તીર્થધામ બહુચરાજી અને શંખલપુરમાં બહુચર મૈયાના દર્શને માઇભકતોની ભીડ જામી હતી. જ્યારે નવરાત્રીની શરૂઆત થતાં યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરાયુ હતુ.ત્યારે નવરાત્રીની શરૂઆત થતા જ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઊમટી હતી અને સમગ્ર મંદિર પરિસર જય જય અંબે ના નાદે ગુંજ્યુ હતુ.મંદિરનાં મુખ્ય ભટ્ટજી મહારાજ તન્મયભાઇ ઠાકર દ્વારા આ ઘટસ્થાપનની નવદિવસ અંખડ પૂજા કરાશે. પાંચાળની પાવનભૂમિ ચોટીલા ખાતે બિરાજમાન મા ચામુંડાના દર્શને પહેલા જ નોરતે વરસાદની પરવાહ કર્યા વગર 20,000થી વધુ માઇ ભક્તોએ દર્શનનો લાભ લઇ માતાના ચરણોમાં શીશ ઝુંકાવી પૂણ્યનું ભાથુ બાંધ્યું હતું.
બહુચરાજી
વરસાદની પરવાહ કર્યા વગર પહેલા નોરતે બહુચરાજી, અંબાજી, માતાના મઢ, ચોટીલા સહિતના માઇ મંદિરોમાં ઘૂઘવ્યો ભક્તોનો સમંદર
અંબાજીમાં ઘટસ્થાપન
ચોટીલા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mKEi8R
via
IFTTT
No comments:
Post a Comment